અંકલેશ્વર નોટીફાઇડ એરિયામાં રખડતાં ઢોરથી સ્થાનિકો ત્રાહિમામ, જુઓ હાઉસિંગ એસો.ના પ્રમુખે શું કહ્યું..!

રહેણાંક વિસ્તારમાં રખડતાં ઢોરથી સ્થાનિકો અજાણ્યા ભય હેઠળ જીવી રહ્યા છે. તેમજ આખલા યુદ્ધમાં વાહનોને પણ નુકશાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

New Update

નોટીફાઇડ એરિયાના રહેણાંક વિસ્તારમાં મોટી સમસ્યા

Advertisment

રખડતાં ઢોરના પગલે સ્થાનિકો પોકારી ઉઠ્યા ત્રાહિમામ

GIDC વિસ્તારમાં અજાણ્યા ભય હેઠળ જીવતા સ્થાનિકો

આખલા યુદ્ધમાં વાહનોને પણ પહોચી રહ્યું છે નુકશાન

યોગ્ય કાર્યવાહી કરવા હાઉસિંગ એસો.ના પ્રમુખની માંગ

 ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નોટીફાઇડ એરિયાના રહેણાંક વિસ્તારમાં રખડતાં ઢોરથી સ્થાનિકો અજાણ્યા ભય હેઠળ જીવી રહ્યા છે. તેમજ આખલા યુદ્ધમાં વાહનોને પણ નુકશાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

 અંકલેશ્વર નોટીફાઇડ એરિયા રહેણાંક વિસ્તારમાં સોસાયટી તેમજ જાહેર માર્ગ પર ગાયભેંસ અને આખલાનો જમાવડો થતાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાય રહી છે. વધુમાં આખલા યુદ્ધ સર્જાતા કિંમતી વાહનો સહિત અન્ય ચીજવસ્તુઓને પણ નુકશાન પહોંચતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જેના પગલે નોટીફાઇડ ઓથોરિટી દ્વારા આ અંગે ત્વરિત કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisment

આ અંગે કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડીયાએ નોટિફાઇડ એરિયા ઓથોરિટી અને GIDCની કામગીરી સામે શંકા વ્યક્ત કરી હતીઅને આ અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી

Advertisment
Read the Next Article

ભરૂચ : સાવરણી વેચીને જીવન ગુજારતા વૃદ્ધ દંપતી તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા, શંકાસ્પદ કોરોના લક્ષણો જોઈ હોસ્પિટલ ખસેડાયા

ભરૂચના મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

New Update
ભરૂચ 1222

ભરૂચના  મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

Advertisment

આ ઘટના સમયે ત્યાં નજીક રિક્ષા લઈને ઉભેલા શખ્સે માનવતા દેખાડી અને તત્કાલ ભરૂચ 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી.108 ની ટીમ ઘટનાસ્થળે તરત પહોંચી અને દંપતીને પ્રાથમિક સારવાર આપી. આ દરમિયાન તેમનામાં શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો જોવા મળતાં, સલામતીના પગલાં તરીકે બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓની વધુ તપાસ અને કોરોના રિપોર્ટ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisment