ભરૂચ: જંબુસરના મહાપુરા ગામે રેલવેની કામગીરીના કારણે કાદવ કીચડનું સામ્રાજ્ય, ગ્રામજનોને હાલાકી

રેલવે કોન્ટ્રાક્ટરે માટી ભરાવનું કામ તો આરંભ્યું છે પરંતુ વરસાદી મોસમમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન રાખતા કાદવ કીચડનું સામ્રાજ્ય ઉભું થયું

New Update
  • ભરૂચના જંબુસરના મહાપુરા ગામનો બનાવ

  • રેલવેની કામગીરીના કારણે પરેશાની

  • કાદવ કીચડનું સામ્રાજ્ય

  • વાહનચાલકોને અવરજવારમાં મુશ્કેલી

ભરૂચના જંબુસર તાલુકાના મહાપુરા ગામે રેલવે વિભાગની કામગીરીના કારણે ગ્રામજનોએ ચોમાસાના સમયમાં ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ભરૂચના જંબુસર તાલુકાના મહાપુરા ગામના મુખ્ય માર્ગ પર હાલ રેલવેની કામગીરીના  કારણે ભારે હાલાકી સર્જાઈ રહી છે. રેલવે ટ્રેક પાસેના માર્ગ પર ડાયવર્ઝન મુકાયું છે તે પણ કાચો અને ખાડાવાળો હોવાથી ગ્રામજનો માટે ખતરનાક બની રહ્યો છે.રેલવે કોન્ટ્રાક્ટરે માટી ભરાવનું કામ તો આરંભ્યું છે પરંતુ વરસાદી મોસમમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન રાખતા કાદવ કીચડનું સામ્રાજ્ય ઉભું થયું છે.
ગ્રામજનોનું કહેવું છે કે ડાયવર્ઝન રસ્તો સતત પલળી જાય છે અને તેમાં ખાડા પડતા વાહનો  અવારનવાર ફસાઈ જાય છે ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે.
Read the Next Article

અંકલેશ્વર : મહારાષ્ટ્રમાં થયેલ કેબલ ચોરીના મામલામાં 4 આરોપીની નોબેલ માર્કેટમાંથી ધરપકડ,ક્રાઇમ બ્રાન્ચે રૂ.5.30 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી

New Update
gujarat
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી જેમાં જુબેર તથા આલમ મનીયાર તથા દિપક કપિલદેવ તિવારી તથા રામવિલાસ ચીકનું યાદવ સંડોવાયેલ છે જે પૈકી આલમ તથા દિપક તિવારી તથા રામ વિલાસ યાદવ અંક્લેશ્વર ખાતે આવેલ નોબલ માર્કેટમાં ગુનામા વપરાયેલ સાધનો સાથે ગોવિંદ અવધરામ યાદવને ત્યા ગોડાઉન પર રોકાયા છે જે બાતમીના આધારે નોબેલ માર્કેટમાં ગોવિંદ યાદવના ગોડાઉનના પર જઇ તપાસ કરતા ગોડાઉન પર ચાર ઇસમ એમ.એચ. પાસીંગની એક બાઇક તથા બોલેરો પીક અપ સાથે ઝડપાય ગયા હતા.આરોપીઓ પોલીસથી બચવા અંકલેશ્વર આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.5.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઝડપાયેલ આરોપીઓ
(1)મોહંમદ આલમ મોહંમદ યુસુફ મનીયાર ઉ.વ.૩૪ હાલ રહે, પુનોલે ગાયકવાડનગર પુના જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે, દલમઉ થાના-દલમઉ તા.જી. રાયબરેલી (ઉત્તરપ્રદેશ)
(૨) દિપક કપિલદેવ તિવારી ઉ.વ.રર હાલ રહે, ચીખલી કુંતલવાડી રામવિલાસની ભંગારની દુકાન પર તા. નહેરૂનગર જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. મનકાપુર તા. તુલસીપુર દેવીપાટણ જી. બલરામપુર (ઉત્તરપ્રદેશ)
(૩) રામવિલાસ ચીકનું યાદવ ઉ.વ. ૩૨ રહે, પુનોલે ગાયકવાડનગર જી-પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. ત્રિલોકપુર તા-ઇટવા જી- સિધ્ધાર્થનગર (ઉત્તરપ્રદેશ)
(૪) ગોવિંદ અવધરામ યાદવ ઉ.વ.૪૮ હાલ રહે, પ્લોટ નં.૭૧ ન્યુ ઈન્ડીયા નોબલ માર્કેટ ભડકોદ્રા તા. અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે. રામાપુર ઉર્ફે બિસુનપુર તા. ઈટવા જી. સિધાર્થનગર (ઉત્તરપ્રદેશ)