ભરૂચની ધરા પર મોરારીબાપુનું આગમન, મંગલેશ્વર ખાતે આવતીકાલથી રામકથાનો થશે પ્રારંભ

ભરૂચના મંગલેશ્વર ખાતે આવતી કાલથી પ્રખ્યાત ક્થાકાર મોરારી બાપુની કથાનો પ્રારંભ થનાર છે ત્યારે આજરોજ રોજ મોરારીબાપુ હેલિકોપ્ટર દ્વારા મંગલેશ્વરના ગ્રાઉન્ડમાં આવી પહોંચ્યા હતા

New Update
  • ભરૂચના મંગલેશ્વર ખાતે રામકથાનું આયોજન

  • આવતીકાલથી કથાનો થશે પ્રારંભ

  • મોરારી બાપુનું થયું આગમન

  • હેલિકોપ્ટર દ્વારા મોરારી બાપુ આવી પહોંચ્યા

  • ભક્તોએ કર્યું સ્વાગત

ભરૂચના મંગલેશ્વર ખાતે આવતી કાલથી પ્રખ્યાત ક્થાકાર મોરારી બાપુની કથાનો પ્રારંભ થનાર છે ત્યારે આજરોજ રોજ મોરારીબાપુ હેલિકોપ્ટર દ્વારા મંગલેશ્વરના ગ્રાઉન્ડમાં આવી પહોંચ્યા હતા
ભરૂચ જિલ્લામાં 4 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી પવિત્ર સલીલા માં નર્મદાના કિનારે કબીરવડની છત્ર છાયામાં મંગલેશ્વર ખાતે પૂજ્ય મોરારીબાપુની રામકથાનો પ્રારંભ થનાર છે.જેના ભાગરૂપે મોરારીબાપુ એક દિવસ પહેલા એટલે 3 જી જાન્યુઆરીના રોજ હેલિકોપ્ટર દ્વારા મંગલેશ્વર ખાતે બનાવેલા હેલિપેડ પર આવી પહોંચ્યા હતા.જ્યાં ગ્રામજનો અને  ભાવિક ભક્તોએ બાપુનું ભવ્ય સ્વાગત કરીને આવકાર કર્યો હતોં.આવતી કાલે  4  જાન્યુઆરીએ બપોરે 2:00 વાગ્યાથી પોથી યાત્રા મંગલેશ્વર કબીરધામથી નીકળી કથામંડપ સુધી પહોંચી કથાનો પ્રારંભ થનાર છે ત્યાર બાદ  5 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી દરરોજ સવારે 10 થી બપોરના 1:30 સુધી રામકથા  અને ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન પણ આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે.
Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.