New Update
-
ભરૂચના મંગલેશ્વર ખાતે રામકથાનું આયોજન
-
આવતીકાલથી કથાનો થશે પ્રારંભ
-
મોરારી બાપુનું થયું આગમન
-
હેલિકોપ્ટર દ્વારા મોરારી બાપુ આવી પહોંચ્યા
-
ભક્તોએ કર્યું સ્વાગત
ભરૂચના મંગલેશ્વર ખાતે આવતી કાલથી પ્રખ્યાત ક્થાકાર મોરારી બાપુની કથાનો પ્રારંભ થનાર છે ત્યારે આજરોજ રોજ મોરારીબાપુ હેલિકોપ્ટર દ્વારા મંગલેશ્વરના ગ્રાઉન્ડમાં આવી પહોંચ્યા હતા
ભરૂચ જિલ્લામાં 4 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી પવિત્ર સલીલા માં નર્મદાના કિનારે કબીરવડની છત્ર છાયામાં મંગલેશ્વર ખાતે પૂજ્ય મોરારીબાપુની રામકથાનો પ્રારંભ થનાર છે.જેના ભાગરૂપે મોરારીબાપુ એક દિવસ પહેલા એટલે 3 જી જાન્યુઆરીના રોજ હેલિકોપ્ટર દ્વારા મંગલેશ્વર ખાતે બનાવેલા હેલિપેડ પર આવી પહોંચ્યા હતા.જ્યાં ગ્રામજનો અને ભાવિક ભક્તોએ બાપુનું ભવ્ય સ્વાગત કરીને આવકાર કર્યો હતોં.આવતી કાલે 4 જાન્યુઆરીએ બપોરે 2:00 વાગ્યાથી પોથી યાત્રા મંગલેશ્વર કબીરધામથી નીકળી કથામંડપ સુધી પહોંચી કથાનો પ્રારંભ થનાર છે ત્યાર બાદ 5 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી દરરોજ સવારે 10 થી બપોરના 1:30 સુધી રામકથા અને ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન પણ આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે.
Latest Stories