ભરૂચ: ઘોર કળીયુગ, 72 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ

વૃદ્ધાને દુષ્કર્મના કારણે તબિતય લથડતાં તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવને પગલે વૃદ્ધાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી દુષ્કર્મ આચરનાર ઝડપી પાડ્યો

New Update
ભરૂચ તાલુકાના એક ગામનો બનાવ
72 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ
42 વર્ષીય નરાધમે દુષ્કર્મ આચર્યુ
વૃદ્ધાને સારવાર અર્થે ખસેડાય
પોલીસે આરોપીની કરી ધરપકડ
ભરૂચ તાલુકાના એક ગામમાં 72 વર્ષે વૃદ્ધા સાથે દુષ્કાળમાં આચારનાર આરોપીની તાલુકા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ તાલુકામાં આવેલાં એક ગામમાં રહેતી 72 વર્ષની વૃદ્ધા તેના પુત્ર અને તેના પરિવાર સાથે રહેતી હતી. તેમના પુત્ર તેમજ પરિવારના અન્ય સભ્યો રોજગાર અર્થે બહાર ગયાં હતાં.
જ્યારે બાળકો શાળાએ ગયાં હતાં.વૃદ્ધા ઘરે એકલી હતી અને ઘરમાં કામ કરી રહી હતી. તે વેળાં અન્ય એક ગામમાં રહેતો  48 વર્ષીય અર્જુન વસાવા તેમના ઘરમાં ઘુસી આવ્યો હતો. વૃદ્ધા વાડામાં કામ કરી રહી હતી. ત્યારે તેને બળજબરીથી પકડી ઘરમાં ખેંચી ગયો હતો. અને તેમની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ તે ત્યાંથી ભાગી ગયો હતો.
અરસામાં વૃદ્ધાને દુષ્કર્મના કારણે તબિતય લથડતાં તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવને પગલે વૃદ્ધાની ફરિયાદના આધારે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી દુષ્કર્મ આચરનાર અર્જુન વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.