અંકલેશ્વરમાં NCC વિદ્યાર્થીઓની દાંડીયાત્રાનું આગમન

NCCના કેડેટસ દ્વારા સાબરમતી અમદાવાદથી તા.૧૦મી ડીસેમ્બરથી દાંડી પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ જે દાંડી પદયાત્રા તારીખ ૨૩મી ડીસેમ્બરના રોજ કુલ ૪૧૦ કિ.મી પદયાત્રા પૂર્ણ કરી દાંડી પહોંચશે.

author-image
By Connect Gujarat Desk
New Update
Dandi Yatra Bharuch
Advertisment

 અમદાવાદના સાબરમતી આશ્રમથી નીકળેલી ૪૦ NCC કેડેટ તથા અધિકારીઓ સહિતની દાંડી પદયાત્રા ભરૂચ શહેરમાંથી પસાર થઇ જૂના હાઇવે પર આવેલ RMPS સ્કૂલ ખાતે પહોંચી હતી.જ્યાં સ્વાગત સાથે સાંસ્કૃતિક કાર્યકમનું આયોજન કરાયું હતું.

Advertisment

આધુનિક ભારતના વિકાસ લક્ષ્યોને આગળ વધારવાનાસ્વચ્છ ભારતવિકસિત ભારતમહિલા સશકિતકરણફીટ ઇન્ડિયાનશામુકત ભારતના ઉદ્દેશ્યથી સાબરમતી આશ્રમથી તા.૧૦મીના રોજ ૪૦ NCCના કેડેટસ તથા અધિકારીઓ સહિતની દાંડી પદયાત્રા ભરૂચ થી નર્મદા મૈયા બ્રિજ પરથી અંકલેશ્વર જવા રવાના થઈ હતી.જે જૂના હાઇવે પર આવેલ RMPS સ્કૂલ સહિત અંકલેશ્વર અને અન્ય દાંડીયાત્રાના સ્થળેથી પસાર થઈ હતી.

Dandiyatra Ankleshwar

RMPS સ્કૂલ ખાતે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના સ્કૂલના ટ્રસ્ટીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

NCCના કેડેટસ દ્વારા સાબરમતી અમદાવાદથી તા.૧૦મી ડીસેમ્બરથી દાંડી પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ જે દાંડી પદયાત્રા તારીખ ૨૩મી ડીસેમ્બરના રોજ કુલ ૪૧૦ કિ.મી પદયાત્રા પૂર્ણ કરી દાંડી પહોંચશે.

Latest Stories