પ્રકાશના પર્વ દિવાળી પર અંકલેશ્વર રોશનીથી ઝગમગ્યુ, ઇમારતો અને માર્ગોએ નવી દુલ્હનનો સાજ સજ્યો

અંકલેશ્વરમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અંકલેશ્વરના વિવિધ માર્ગો પર આવેલ સરકારી ઇમારતોને રોશનીથી શણગારવામાં આવી , દિવાળીની ઠેર ઠેર ઉજવણી

New Update
MixCollage

પ્રકાશના પર્વ દિવાળીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી છે ત્યારે અંકલેશ્વરમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અંકલેશ્વરના વિવિધ માર્ગો પર આવેલ સરકારી ઇમારતોને રોશનીથી શણગારવામાં આવી છે.

લાઇટિંગના અદભુત નજારાના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. જેમાં વિવિધ માર્ગો અને ઇમારતો પર રંગબેરંગી લાઇટિંગ કરવામાં આવી છે. અંકલેશ્વરમાં પ્રકાશના પર્વ દિવાળીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જીવનમાંથી અંધકાર દૂર કરી પ્રકાશ પાથરતા આ પર્વ પર શહેરે જાણે નવી દુલ્હનનો સાજ સજ્યો છે.

Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.