અંકલેશ્વર:ચાણક્ય વિદ્યાલયમાં બિઝનેસ ઇવેન્ટનું આયોજન, વિદ્યાર્થીઓને અપાય વેપારની સમજણ

અંકલેશ્વરની ચાણક્ય વિદ્યાલય ખાતે બિઝનેસ ઇવેન્ટની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધોરણ 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

New Update

અંકલેશ્વરમાં આવેલી છે ચાણક્ય વિદ્યાલય

ચાણક્ય વિદ્યાલયમાં બિઝનેસ ઇવેન્ટ યોજાય

ધોરણ 11-12 કોમર્સના વિદ્યાર્થીઓએ લીધો ભાગ

વિદ્યાર્થીઓને વેપાર અંગેની અપાય સમજણ

શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત

અંકલેશ્વરની ચાણક્ય વિદ્યાલય ખાતે બિઝનેસ ઇવેન્ટની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધોરણ 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
વિદ્યાર્થીઓમાં વેપારના કાર્યોની સમજણ અને આત્મ વિશ્વાસમાં વધારો થાય તે માટે  અંકલેશ્વરની ચાણક્ય વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ-11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે બિઝનેસ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળાના ટ્રસ્ટી મહેશ પટેલ અને દીપેસ પડસાલાના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના ફૂડના કુલ ૪૧  સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.ટ્રસ્ટીઓએ સ્ટોલ, લોન અને મેનેજમેન્ટ વિભાગના વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી.બિઝનેસ ઇવેન્ટમાં શાળાના આચાર્ય અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો .વિદ્યાર્થીઓ દ્વારા જાતે જ તમામ સ્ટોલ ઉભા કરી તેનું સંચાલન કરવામાં આવ્યું હતું અને વેપાર કઈ રીતે થાય એની સમજણ મેળવી હતી.
Latest Stories