ભરૂચ- અંકલેશ્વરમાં આતંકી હુમલા સામે આક્રોશ, કેન્ડલ માર્ચ સહિતના કાર્યક્રમો યોજાયા

પહેલગાંવમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં અંકલેશ્વર જીઆઇડીસીમાં શ્રી શ્યામ સેવા સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદ તો ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચ અંકલેશ્વરમાં યોજાયા કાર્યક્રમો

  • આતંકી હુમલાનો કરાયો વિરોધ

  • અંકલેશ્વર જીઆઈડીસીમાં નિકળી કેન્ડલ માર્ચ

  • ભરૂચમાં આપ દ્વારા શ્રદ્ધાજલી અર્પણ કરાય

  • આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માંગ

પહેલગાંવમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં અંકલેશ્વર જીઆઇડીસીમાં શ્રી શ્યામ સેવા સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદ તો ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
જમ્મુ કાશ્મીરના પહેલગાવમાં થયેલા હીચકારી આતંકી હુમલાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે અંકલેશ્વરમાં શ્રી શ્યામ સેવા સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કેન્દ્ર માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેન્ડલ માર્ચ જીઆઇડીસીમા આવેલ  પોલીસ સ્ટેશન ચોકડીથી નીકળી હતી જે સરદાર પાર્ક,જલધારા ચોકડી, પશુપતિનાથ મંદિરથી થઈ નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી અને જ્યાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શ્રદ્ધાંજલિ સભામાં શ્રી શ્યામ સેવા સમિતિ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો જોડાયા હતા અને હિંચકારી આતંકી હુમલો કરનાર આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી
આ તરફ ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા આતંકી હુમલાના વિરોધમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ મીણબત્તી પ્રજ્વલીત કરી આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા સાથે જ સરકાર આતંકવાદીઓનો ખાતમો કરી  જડબાતોડ જવાબ આપે તેવી માંગ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા
Latest Stories