અંકલેશ્વર-હાંસોટ રોડ પર શક્તિનગર નજીક વીજ કરંટ લાગતા મોરનું મોત...

મોરના મોતના સ્થળ અંગેનું પંચકેશ કરી મૃતદેહ શાલીમાર નર્સરી ખાતે લઇ જવામાં આવ્યો હતો, જ્યાં પી.એમ કરતા મોરનું મોત વીજ કરંટ લાગવાના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું

New Update
Peacock
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં શક્તિનગર નજીક વીજ કરંટ લાગતા રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા. અંકલેશ્વર શહેરના હાંસોટ માર્ગ પર આવેલ શક્તિનગર પાસે ગત મોડી સાંજે દીવા તરફના ગ્રામ્ય વિસ્તારમાંથી વિખૂટું પડી આવેલ રાષ્ટ્રીય પક્ષી મોર કમલમ તળાવ પાસે આવી પહોંચ્યું હતું.
જે પરત રાત્રીના જવાની મથામણ કરી રહ્યું હતું, તે દરમિયાન હાંસોટ રોડ પર શક્તિનગર પાસે આવેલ જીવંત વીજ તારને અડી જતા તેનું મોત નીપજ્યું હતું. જે અંગે સ્થાનિકો દ્વારા પાલિકા ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ સ્થળ પર દોડી આવી હતી. અને શિડયુલમાં આવતા રાષ્ટ્રીય પક્ષી મોરના મોત અંગે વન વિભાગને જાણ કરતા વન અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.
Peacock Death
મોરના મોતના સ્થળ અંગેનું પંચકેશ કરી મૃતદેહ શાલીમાર નર્સરી ખાતે લઇ જવામાં આવ્યો હતો, જ્યાં પી.એમ કરતા મોરનું મોત વીજ કરંટ લાગવાના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું હતું. જે બાદ વન વિભાગ દ્વારા નિયમાનુસાર મૃત પક્ષીની અંતિમ વિધિ કરવામાં આવી હતી.
Latest Stories