ભરૂચ : ચાંદીપુરા વાયરસ સામે સાવચેતીના પગલાં ભરી પાણી પહેલા પાળ બાંધવા પાલિકાને વિપક્ષની રજૂઆત

ભરૂચમાં આ જીવલેણ વાયરસનો પગપેસારો અટકાવવા માટે નગરપાલિકા દ્વારા અગમચેતીના પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે વિપક્ષના સભ્યોએ જિલ્લા પંચાયત અને નગરપાલિકાને  આવેદન પત્ર પાઠવ્યું હતું.

New Update

ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસ બાળકોને પોતાના અજગરી ભરડામાં લઈ રહ્યો છે

 ત્યારે ભરૂચમાં આ જીવલેણ વાયરસનો પગપેસારો અટકાવવા માટે નગરપાલિકા દ્વારા અગમચેતીના પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે વિપક્ષના સભ્યોએ જિલ્લા પંચાયત અને નગરપાલિકાને  આવેદન પત્ર પાઠવ્યું હતું.

ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદદંડક હેમેન્દ્ર કોઠીવાલા સહિતના આગેવાનો દ્વારા જિલ્લા પંચાયતના જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરને સંબોધીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કેભરૂચમાં હાલમાં ચાંદીપુરા વાયરસનો કોઈ કેસ નથી. પરંતુ તંત્ર સફાળુ જાગીને વાયરસનો પગપેસારો ભરૂચમાં થતો અટકાવે અને પાણી પહેલા પાળ બાંધે તેવી રજૂઆત કરવામાં આવી હતી. વધુમાં આરોગ્ય વિભાગ અને નગરપાલિકા વહેલી તકે એક્શન પ્લાન બનાવી શહેર તેમજ જિલ્લાના તમામ મકાનોનું સર્વે કરી દવાનો છંટકાવ કરેતેમજ બીમાર બાળકોને પણ યોગ્ય સારવાર આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

 

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.