અંકલેશ્વર તાલુકાના રેશન ડીલરો પડતર પ્રશ્ને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા, તંત્રવાહકોને કરી રજૂઆત...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના રેશન ડીલરો પડતર પ્રશ્ને હડતાળ પર ઉતરી ચાલુ મહિને અનાજનો જથ્થો નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી છે.

New Update

તાલુકાના રેશન ડીલરો દ્વારા પડતર પ્રશ્ને હડતાળ

વારંવાર સરકારને લેખિત-મૌખિક રજૂઆત કરાય

દુકાનદારોએ મામલતદાર કચેરીએ આવેદન આપ્યું

અનાજનો જથ્થો નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી

વહેલી તકે પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના રેશન ડીલરો પડતર પ્રશ્ને હડતાળ પર ઉતરી ચાલુ મહિને અનાજનો જથ્થો નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી છે.

ભરૂચ જિલ્લામાં સસ્તા અનાજની દુકાનદારોનું પડતર માંગણીઓ મુદ્દે અંકલેશ્વર તાલુકાના દુકાનદારોએ ભેગા થઇ અંકલેશ્વર મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં ઓક્ટોબર 2024નો જથ્થો ઉપાડચલન પેઇડ કેવિતરણ નહીં કરવા અંગે અંકલેશ્વર તાલુકાના દુકાનદારોએ તંત્રવાહકોને રજૂઆત કરી છે. આવેદન પત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યમાં રેશન ડીલરોના પડતર પ્રશ્નો અંગે રાજ્યના બન્ને એસોસિએશન તરફથી વારંવાર સરકારને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છેપરંતુ હજી સુધી કોઈ યોગ્ય ઉકેલ ન આવતા દુકાનદારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. 3

સરકારના સુધારેલ પરિપત્રમાં ઉમેરાયેલ પૈકી શરત નં. 7થી જે રેશન ડીલરોને ત્યાં બાયોમેટ્રિકથી વિતરણની ટકાવારી 97 ટકા થાય તો જ રૂ. 20 હજાર મિનિમમ કમિશનની પાત્રતા ગણાશે. જેના કારણે ગુજરાતમાં કેટલાક રેશન ડીલરો મિનિમમ રૂ. 20 હજારનું કમિશન દર માસે પ્રાપ્ત કરી શકતા નથી. જેથી રેશન ડીલરો કારમી મોંઘવારીમાં આર્થિક કૃપોષિતતાની કપરી પરિસ્થિતિમાં મુકાયા છે.

Read the Next Article

સુરત : શિક્ષક પિતાએ બે પુત્રો સાથે અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું, પોલીસે શરૂ કરી તપાસ,આપઘાતનું કારણ અકબંધ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને

New Update

સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના

શિક્ષક પિતાએ બે પુત્રો સાથે કર્યો આપઘાત

આપઘાત પાછળનું કારણ અકબંધ

પિતા પુત્રોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા 

પોલીસે ઘટના અંગેની શરૂ કરી તપાસ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી હતી. જેમાં માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળક સારવાર હેઠળ છે. ત્યારે હવે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના બે માસૂમ પુત્રો સાથે જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સુરતના ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી ઉં.વ. 41 મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની છે,અને હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે. મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતાના 2 વર્ષીય પુત્ર કર્નિશ અલ્પેશભાઈ સોલંકી અને 8 વર્ષીય પુત્ર ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી સાથે આપઘાત કરી લેતાં શોકનો માહોલ છવાયો છે. ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં પાડોશીઓને શંકા ગઈ હતી. જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહ બેડ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતાજ્યારે અલ્પેશભાઇની ડેડબોડી લટકતી હાલતમાં મળી આવી હતી.

આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે શિક્ષકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.