નર્મદામાં પુર આવશે..! : ભરૂચમાં સોશિયલ મીડિયામાં ફરતા ખોટા મેસેજનું ખંડન કરી લોકોને અફવાથી દૂર રહેવા તંત્રની અપીલ...

નર્મદાના પુરની ભયાનક તસવીર પુનઃ લોકોના મગજમાં ઉપસી આવતા જ પૂછતાછનો સિલસિલો શરૂ થયો હતો. તેવામાં નર્મદા કાંઠે આવેલ બોરભાઠા બેટ સહિતના ગ્રામ્ય વિસ્તારના ધરતીપુત્રો તેમજ અન્ય લોકોમાં ગભરાટ પ્રસરી ગયો હતો.

author-image
By Connect Gujarat
New Update

ગત વર્ષે ચોમાસામાં આવ્યું હતું નર્મદા નદીમાં ભારે પૂર

પૂરના કારણે શહેર-જીલ્લામાં સર્જાય હતી ભારે તારાજી

નદીમાં ફરી પૂર આવવાના સોશિયલ મીડિયામાં મેસેજ

મેસેજથી કાંઠા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો

ખોટા મેસેજ કરી અફવા ન ફેલાવવા તંત્ર દ્વારા અપીલ

 ભરૂચની નર્મદા નદીમાં પૂર આવવાના સોશિયલ મીડિયામાં ફરતા ખોટા મેસેજથી કાંઠા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. તો બીજી તરફભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા આ મેસેજ ખોટો હોવાનું જણાવી અફવા ન ફેલાવવા લોકોને અપીલ કરવામાં આવી હતી.

ગત વર્ષ દરમ્યાના ભરૂચ શહેર તથા જિલ્લામાં નર્મદા નદીમાં આવેલા પુરે ભારે તારાજી સર્જી હતી. જેની ભયાનકતા હજુ પણ લોકોના મનોજગતમાંથી દૂર થઈ નથી. તેવામાં ભરૂચના એક સોશિયલ મીડિયા ગ્રુપમાં નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવનાર હોવાનો તેમજ નર્મદા નદી ભયજનક સપાટી વટાવતા ઘોડાપુર આવનાર છેજેવો મેસેજ મુકવામાં આવતા કાંઠા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો.

નર્મદાના પુરની ભયાનક તસવીર પુનઃ લોકોના મગજમાં ઉપસી આવતા જ પૂછતાછનો સિલસિલો શરૂ થયો હતો. તેવામાં નર્મદા કાંઠે આવેલ બોરભાઠા બેટ સહિતના ગ્રામ્ય વિસ્તારના ધરતીપુત્રો તેમજ અન્ય લોકોમાં ગભરાટ પ્રસરી ગયો હતો. કેટલાય લોકોએ કામ-ધંધે અને ખેતરોએ જવાનું મુકી સ્થળાંતર માટેની તૈયારીઓ પણ કરી હતી. જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભય નો માહોલ સર્જાયો હતો.

જોકેતંત્રના ખુલાસા બાદ પણ તેઓ વિશ્વાસ કરી શકતા ન હતા. જેથી આવા મેસેજ મુકનાર તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવા સાથે ગત વર્ષની જેમ પુરની સ્થિતિ ન સર્જાય તે માટે નર્મદા નદીમાં થોડું થોડું પાણી નર્મદા ડેમમાંથી છોડતા રહેવામાં આવે તે માટે તંત્રને અપીલ કરી રહ્યા હતા. જોકેઆ મેસેજના પગલે જિલ્લા વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લા કલેક્ટરે ટ્વિટ કરીને લોકોને આ મેસેજ ખોટો હોવાનું જણાવી અફવાથી દૂર રહેવા  અપીલ કરી હતી. તો નર્મદા ડેમ ઓથોરિટી દ્વારા પણ પાણી છોડવા બાબતે રદિયો આપી લોકોને અફવાથી દૂર રહેવા અનુરોધ કરાયો હતો. હાલના સોશિયલ મીડિયાના જમાનામાં એક ખોટો મેસેજ પણ થોડા સમયમાં જ આગની જેમ પ્રસરી જતો હોય છેત્યારે બેજવાબદાર તત્વો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે આવશ્યક બન્યું છે.

 

Read the Next Article

ભરૂચ : જિલ્લાની 67 ગ્રામ પંચાયત રાજની ચૂંટણી માટે યોજાયું મતદાન,મતદારોનો જોવા મળ્યો ઉત્સાહ

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી

New Update

ભરૂચ જિલ્લામાં પંચાયતીરાજની યોજાઈ ચૂંટણી

67 ગ્રામ પંચાયતો માટે યોજાઈ ચૂંટણી

શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન

વૃદ્ધ અને અશક્ત મતદારોએ પણ બતાવ્યો ઉત્સાહ

ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ  

25 જૂને યોજાશે મતગણતરી

ભરૂચ જિલ્લાની પંચાયતીરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.સવારના 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાન પ્રક્રિયામાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી.જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.અને સવારથી જ મતદારોમાં મતદાન માટેનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચના તવરા,ઝાડેશ્વર, બંબુસર સહિતની ગ્રામ પંચાયતો માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.બંબૂસર ગામે સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.બંબુસર ગામે સરપંચ પદ માટે અત્યાર સુધી સમરસ થતું આવ્યું હતું અને 2021માં ચૂંટણી યોજાઈ હતી.જેમાં મતદાનના 2 દિવસ પહેલા સરપંચ પદના ઉમેદવારનું નિધન થતા ચૂંટણી ઠેલાઈ હતી. સરપંચ પદ માટે હાલ યોજાઈ રહેલી ચૂંટણીમાં બંબૂસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ છે.જેમાં 3 ઉમેદવારોએ ઉમેદવારી કરતા આજરોજ મતદાન યોજાયું હતું.અને  મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

આ ઉપરાંત તવરા ગ્રામ પંચાયતની બેઠક પર મતદાન બુથ પર મતદારોની લાંબી કતાર જોવા મળી હતી,અને વરસતા વરસાદમાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

મતદાન પ્રક્રિયા દરમિયાન પોલીસ દ્વારા અશક્ત મતદારો માટે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી,અને લોકશાહીના પર્વમાં વૃદ્ધ અને અશક્ત મતદારોએ ઉત્સાહભેર મતદાન કરીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા હતા.  

અંકલેશ્વર તાલુકામાં 23 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી.તાલુકાની કુલ 27 ગ્રામ પંચાયતમાંથી 4 પંચાયતો સમરસ જાહેર થઈ હતી.23 ગ્રામ પંચાયતોમાંથી 12 ગ્રામ પંચાયતોને સંવેદનશીલ જાહેર કરવામાં આવી હતી.ચૂંટણીની કામગીરીમાં 250 કર્મચારીઓ જોડાયા હતા. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના માંડવા,કોસમડી,સજોદ સહિત 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.અને ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી તારીખ 25મી જૂનના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી યોજવામાં આવશે,અને ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.