ભરૂચ : યુદ્ધની સ્થિતિને લઈને FGSCDAનું રાજ્યભરના કેમિસ્ટ-ડ્રગિસ્ટ્સને જરૂરી દવાઓનો જથ્થો સંગ્રહ કરવા સૂચન...

ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિએશન દ્વારા ભરૂચ સહિત રાજ્યભરના દવા વેપારીઓને જરૂરી દવાનો જથ્થો સંગ્રહ કરવા અગત્યની સૂચના આપવામાં આવી

New Update
  • ભારત-પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની પરિસ્થિતિ સર્જાય

  • યુદ્ધના પગલે સરકારે તાબડતોબ પગલાં ભરવાનું શરૂ કર્યું

  • ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ-ડ્રગિસ્ટ્સ એસો.નો નિર્ણય

  • રાજ્યમાં દવા વેપારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી

  • જરૂરી દવાઓનો જથ્થો સંગ્રહ કરવા અગત્યની સૂચના અપાય

ભારત-પાકિસ્તાન વચ્ચેની સંભવિત યુદ્ધની પરિસ્થિતિને લઈને રાજ્ય સરકારે પણ તાબડતોબ પગલાં ભરવાનું શરૂ કરી દીધું છેત્યારે ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિએશન દ્વારા ભરૂચ સહિત રાજ્યભરના દવા વેપારીઓને જરૂરી દવાનો જથ્થો સંગ્રહ કરવા અગત્યની સૂચના આપવામાં આવી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના મામલે ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિયેશન દ્વારા રાજ્યભરના દવા વેપારીઓને અગત્યની સૂચનાઓ આપવામાં આવી છે. દેશની તમામ તબીબી અને આરોગ્યસંબંધિત સેવાઓ સતત ચાલુ રહે તે માટે અને અસાધારણ પરિસ્થિતિઓમાં દવાનો ખાટો ન સર્જાયતે હેતુથી રિટેલ અને હોલસેલ લેવલના કેમિસ્ટોને વધારાનો દવાનો જથ્થો સંગ્રહ કરવા માટે સૂચવવામાં આવ્યું છે.

ફેડરેશન દ્વારા સ્પષ્ટ સૂચના અપાઈ છે કેદરેક જિલ્લામાં રિટેલ લેવલના દવા વેપારીઓએ ઓછામાં ઓછો એકથી બે મહિના માટેનો વધારાનો સ્ટોક રાખવો જોઈએજ્યારે હોલસેલ વેપારીઓએ 2 મહિના કરતાં વધુ સમયનો સ્ટોક જાળવી રાખવો જરૂરી છે. આ સૂચના ચેતવણીના ભાગરૂપે આપવામાં આવી છેઅને સ્થિતિ વધુ ગંભીર બનેતે પૂર્વે જરૂરિયાત મુજબ દવાનો સ્ટોક રાખવો જરૂરી છે. આ અનુસંધાને ભરૂચ મેડિકલ એસોસિએશન દ્વારા પણ તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે.

ભરૂચ અને નર્મદા જિલ્લાના કેમિસ્ટ એસોસિએશનના તમામ સભ્યોને સંઘ તરફથી મળેલા માર્ગદર્શન અનુસારભરૂચના પ્રમુખ ભરત શાહે જણાવ્યું હતું કેભરૂચ અને નર્મદા જીલ્લાના અંદાજીત 1 હજાર જેટલા મેડિકલ દુકાન ચલાવતા અને હોલસેલ વેપારીઓને સૂચના આપવામાં આવી છે.

એટલું જ નહીંલોકોને કોઈપણ જાતની તકલીફ ન થાય તે માટે દવાના મુખ્ય વિતરણ કેન્દ્રો સાથે પણ સંપર્કમાં રહેવામાં આવશે. જેથી કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં દર્દીઓને સમયસર સારવાર મળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.