અંકલેશ્વર જીઆઇડીસીની શાળાઓમાં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી કરાઈ

અંકલેશ્વર શહેરની આર.એમ.પટેલ વિદ્યાસંકુલ તેમજ GIDC વિસ્તાર સ્થિત સંસ્કારદીપ વિદ્યાલય અને  ચાણક્ય વિદ્યાલય ખાતે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી

author-image
By Connect Gujarat Desk
New Update
  • શાળાઓમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

  • શહેરની આર.એમ.પટેલ વિદ્યાલયમાં કરાઈ ઉજવણી

  • જીઆઇડીસીની સંસ્કારદીપ વિદ્યાલય દેશભક્તિના રંગે રંગાઈ 

  • ચાણક્ય વિદ્યાલયમાં પણ રાષ્ટ્રધ્વજને આપી સલામી

  • વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ કરી રજૂ

Advertisment

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની આર.એમ.પટેલ વિદ્યાસંકુલ તેમજ GIDC વિસ્તાર સ્થિત સંસ્કારદીપ વિદ્યાલય અને  ચાણક્ય વિદ્યાલય ખાતે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

અંકલેશ્વર શહેર ખાતેની આર.એમ.પટેલ વિદ્યાસંકુલ ખાતે આઈ.ટી.પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે મહાકુંભ પ્રયાગરાજની રંગોળી બનાવીને શાળા સંકુલની શોભામાં વૃદ્ધિ કરી હતી,આ અવસરે શાળાના ટ્રસ્ટીઓ,શિક્ષકગણ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે અંકલેશ્વર જીઆઇડીસીની સંસ્કારદીપ વિદ્યાલય ખાતે પણ 76માં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે શાળાની તેજસ્વી વિદ્યાર્થીની શ્રેયા મોદીના પિતા દિવ્યેશ મોદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું,અને શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી હતી.આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી એન.કે.નાવડીયા,ગીતા શ્રીવસ્તન,સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. 

અંકલેશ્વર જીઆઇડીસીની ચાણક્ય વિદ્યાલય ખાતે ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેમાં ગુજરાતી માધ્યમમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીની ખુશી પટેલના માતા પિતા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

અને અંગ્રેજી માધ્યમમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ ઋષિલ હિરપરા અને તેમના માતા-પિતા દ્વારા ભારત માતાની પૂજા કરવામાં આવી હતી.વધુમાં ધોરણ 10માં અભ્યાસ કરતા અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમ જેમાં પ્રથમ ,દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત પામેલ વિદ્યાર્થીઓનું ટ્રોફી અને ઇનામ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisment
Read the Next Article

ભરૂચ: NTPC ઝનોર અને અંકલેશ્વરના CISF યુનિટ પર દુશ્મન દેશનો હુમલો થતા અનેક જવાન ઘાયલ, અંતે મોકડ્રિલ જાહેર કરાય

ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી

New Update
સી.આઈ.એસ.એફ યુનીટ અંકલેશ્વર  (4)
ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી એકમના કર્મચારીઓ સચેત થઈ તાત્કાલિક ધોરણે એકમની બહાર નીકળી ગયા હતા. સિવિલ ડિફેન્સની વિવિધ આપાતકાલીની સેવાઓના કર્મચારીઓ યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અંતે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ગતિવિધિ મોકડ્રીલ જાહેર કરાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.  આ મોકડ્રીલ વખતે સિવિલ ડિફેન્સની આરોગ્ય, ફાયર, પોલીસ અને સહિતની મહત્વની ૧૨ સેવાઓ, સી.આઈ.એસ.એફના જવાનો, સિવિલ ડિફેન્સના વોલેન્ટીયર્સ, જી.આર.ડી.ના જવાનો હાજર રહ્યા હતા.
Advertisment
આ તરફ અંકલેશ્વર સ્થિત સી.આઈ.એસ.એફ યુનીટ પર ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર સી.આઈ.એસ.એફ યુનીટ ખાતે દુશ્મન તરફથી હુમલો થયો હતો. જેની સાંજે પાંચ કલાકે જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે જાણકારી મળી હતી. સૂચના મળતા જ જિલ્લાના વિવિધ વિભાગો સ્થિતિ પર કાબુ મેળવવા સી.આઈ.એસ.એફ યુનીટ સ્થળ પર પહોંચ્યા હતા. અને સામાન્ય ઇજા પામેલા ૨૫ જેટલા જવાનોને બચાવી સારવાર અપાઈ હતી. જ્યારે ૫ જેટલા વધુ ઈજાગ્રસ્તોને સારવાર આપવા તબીબી ટીમ સાથે ૩૦ યુનિટ રક્તની જરૂરીયાત ઉભી થતા યુધ્ધના ધોરણે મદદ પહોચાડી હતી. 
Advertisment