અંકલેશ્વર જીઆઇડીસીની શાળાઓમાં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી કરાઈ

અંકલેશ્વર શહેરની આર.એમ.પટેલ વિદ્યાસંકુલ તેમજ GIDC વિસ્તાર સ્થિત સંસ્કારદીપ વિદ્યાલય અને  ચાણક્ય વિદ્યાલય ખાતે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી

author-image
By Connect Gujarat Desk
New Update
  • શાળાઓમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

  • શહેરની આર.એમ.પટેલ વિદ્યાલયમાં કરાઈ ઉજવણી

  • જીઆઇડીસીની સંસ્કારદીપ વિદ્યાલય દેશભક્તિના રંગે રંગાઈ 

  • ચાણક્ય વિદ્યાલયમાં પણ રાષ્ટ્રધ્વજને આપી સલામી

  • વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ કરી રજૂ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની આર.એમ.પટેલ વિદ્યાસંકુલ તેમજ GIDC વિસ્તાર સ્થિત સંસ્કારદીપ વિદ્યાલય અને  ચાણક્ય વિદ્યાલય ખાતે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

અંકલેશ્વર શહેર ખાતેની આર.એમ.પટેલ વિદ્યાસંકુલ ખાતે આઈ.ટી.પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે મહાકુંભ પ્રયાગરાજની રંગોળી બનાવીને શાળા સંકુલની શોભામાં વૃદ્ધિ કરી હતી,આ અવસરે શાળાના ટ્રસ્ટીઓ,શિક્ષકગણ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે અંકલેશ્વર જીઆઇડીસીની સંસ્કારદીપ વિદ્યાલય ખાતે પણ 76માં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે શાળાની તેજસ્વી વિદ્યાર્થીની શ્રેયા મોદીના પિતા દિવ્યેશ મોદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું,અને શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી હતી.આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી એન.કે.નાવડીયા,ગીતા શ્રીવસ્તન,સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. 

અંકલેશ્વર જીઆઇડીસીની ચાણક્ય વિદ્યાલય ખાતે ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેમાં ગુજરાતી માધ્યમમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીની ખુશી પટેલના માતા પિતા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

અને અંગ્રેજી માધ્યમમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ ઋષિલ હિરપરા અને તેમના માતા-પિતા દ્વારા ભારત માતાની પૂજા કરવામાં આવી હતી.વધુમાં ધોરણ 10માં અભ્યાસ કરતા અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમ જેમાં પ્રથમ ,દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત પામેલ વિદ્યાર્થીઓનું ટ્રોફી અને ઇનામ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.