ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા સ્થિત શ્રી કે.આર.પટેલ વિદ્યામંદિર ખાતે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા સ્થિત શ્રી કે.આર.પટેલ વિદ્યામંદિર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજકોસ્ટ ગાંધીનગર અને પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર-ભરૂચના ઉપક્રમે બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ થાય તે હેતુથી વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શાળાના વિજ્ઞાન શિક્ષિકાના માર્ગદર્શન હેઠળ બાળકો દ્વારા જુદી જુદી 15 કૃતિઓ બનાવવામાં આવી હતી. જેનો નજીકની શાળાના બાળકો સહીત શાળાના તમામ બાળકોએ પ્રદર્શનીની મુલાકાત લીધી હતી. આ તબક્કે શાળાના આચાર્ય હેમંતકુમાર જોષી દ્વારા બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. સમગ્ર શાળા પરિવાર વતી તમામ ભાગ લેનાર બાળકોને શુભેરછાઓ આપવામાં આવી હતી.