મકરસંક્રાતિના પર્વમાં ચીકી આરોગવાની પરંપરા, ચીકી બનાવી આર્થિક ઉપાર્જન મેળવતો ભરૂચનો પરિવાર...

ઉત્તરાયણ પર્વમાં ચીકી આરોગવાની અનોખી પરંપરા ચાલી આવી છે, ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ વેરાયટીની ચીકી બનાવી ભરૂચનો એક પરિવાર આર્થિક ઉપાર્જન મેળવી રહ્યો છે.

New Update
  • મકરસંક્રાતિ પર્વમાંચીકીઆરોગવાની અનોખી પરંપરા

  • ડ્રાયફ્રુટ-સીંગમાવા સહિતનીચીકીની માંગમાં થયો વધારો

  • આધુનિક જમાનામાં હાથથી બનતીચીકીની વધી ડિમાન્ડ

  • ચીકીબનાવીને આર્થિક ઉપાર્જન મેળવતોભરૂચનો પરિવાર

  • અંતિમ દિવસોમાંચીકીની માંગ વધશે :ચીકીબનાવનાર

ઉત્તરાયણ પર્વમાંચીકીઆરોગવાની અનોખી પરંપરા ચાલી આવી છેત્યારે છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ વેરાયટીનીચીકીબનાવીભરૂચનો એક પરિવાર આર્થિક ઉપાર્જન મેળવી રહ્યો છે.

ભારતીય તહેવારોમાં વિવિધ તહેવારો સાથે ખાણીપીણીની અવનવી વાનગીઓ અને ખાદ્ય સામગ્રી અતૂટ પણે વણાઈ ગઈ છેત્યારે અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણમાં ઊંધીયા-જલેબીની સાથે સાથેચીકીઅને બોરનું માહત્મ્ય જોવા મળે છે. તેવામાં ખારીસીંગ માટે પ્રખ્યાતભરૂચમાંચીકીનું પણ ખૂબ મોટાપાયે ઉત્પાદન અને વેચાણ થાય છે. એક સમયે માત્ર ગોળ અને સીંગ કેતલનીચીકીજ મળતી હતી. પરંતુ હવે ડ્રાયફ્રુટસીંગમાવારાજગરાતલકોપરા તેમજ ચોકલેટ સહિત વિવિધ ફ્લેવરનીચીકીજોવા મળે છે.ભરૂચશહેર તથા જીલ્લામાં ખૂબ મોટા પાયેચીકીનો ગૃહ ઉદ્યોગ ધમધમે છે. કેટલાયે પરિવારોચીકીબનાવી ઉત્તરાયણમાં તેનું વેચાણ કરી આર્થિક ઉપાર્જન મેળવી જીવન નિર્વાહ કરે છેત્યારેભરૂચશહેરના દાંડિયા બજારમાં વર્ષોથી આધુનિક જમાનામાં પણ હાથથી જચીકીબનાવી વેંચતા નાનુભાઈ જણાવી રહ્યા છે કેલોકો પહેલા કરતાચીકીની ઓછી ખરીદી કરી રહ્યા છે. જોકેઉત્તરાયણ પૂર્વે અંતિમ દિવસોમાં હજુચીકીની માંગ વધશે તેવી તેઓ આશા સેવી રહ્યા છે.

Read the Next Article

ભરૂચ: આમોદ ન.પા.માં ભાજપના જ આગેવાન અને કોન્ટ્રાકટરે આત્મવિલોપની ચીમકી ઉચ્ચારી, બાકી પેમેન્ટ માટે ટકાવારી માંગતી હોવાના આક્ષેપ

ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો વિવાદ

  • કોન્ટ્રાકટરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

  • બાકી પેમેન્ટ ન ચૂકવાતા આક્ષેપ

  • શાસકો ટકાવારી માંગતા હોવાના આક્ષેપ

  • પ્રમુખે તમામ આક્ષેપ ફગાવ્યા

ભરૂચ ને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે સાથે જ નગરપાલિકાના પ્રમુખથી મારી અધિકારીઓ બાકી પેમેન્ટની ચુકવણી માટે ટકાવારી માંગતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચની આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને ભાજપના જ  રૂ.14.20 લાખનું પેમેન્ટ બાકી હોવા છતાં ચુકવણી ન થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરે 15મી ઓગષ્ટના રોજ નગરપાલિકા પરિસરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના આગેવાન મૈલેશ મોદી લાંબા સમયથી નગરપાલિકામાં  કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે.ભાજપના ન આગેવાન અને કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ જણાવ્યું હતું 31-10-2023 થી 31-10-2024 દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોના રૂ.13.10 લાખમાંથી રૂ.12.60 લાખ હજુ બાકી છે, સાથે બીજા સ્વભંડોળના કામની રકમ મેળવી કુલ રૂ.14.20 લાખનું પેમેન્ટ આઠ મહિનાથી અટક્યું છે.
તેઓએ આક્ષેપ કર્યો છે કે બાકી પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માગે છે.તેમના મુજબ ચીફ ઓફિસર 3%, નગરપાલિકા બોડી 7%, હિસાબી શાખા 3% અને એન્જિનિયર 1% કમિશન લે છે. આ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી છે અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે. 
કોન્ટ્રાકટરે કરેલા આક્ષેપ અંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે પેમેન્ટ સ્વભંડોળના અભાવે અટક્યું છે કારણ કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી પગાર અને પી.એફ. ચુકવવામાં મુશ્કેલી પડે છે. સ્વભંડોળ પ્રાપ્ત થયા બાદ કોન્ટ્રાક્ટરને ચુકવણી કરી દેવાશે.