ભરૂચ: ઝાડેશ્વરના અભિનવ એવન્યુ પરિવાર દ્વારા વૃક્ષારોપાણ કરાયુ, પર્યાવરણના જતનનો સંકલ્પ

ભરૂચની ઝાડેશ્વર ચોકડી પર અભિનવ એવન્યુ પરિવાર દ્વારા પર્યાવરણના જતનના હેતુસર શોપિંગના આગળના ભાગ પર રોડને અડી 15થી વધુ વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • અભિનવ એવન્યુ પરિવાર દ્વારા આયોજન

  • વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો

  • પર્યાવરણના જતનના હેતુસર વૃક્ષારોપાણ કરાયુ

  • પરિવારના સભ્યો રહ્યા ઉપસ્થિત

ભરૂચની ઝાડેશ્વર ચોકડી પર અભિનવ એવન્યુ પરિવાર દ્વારા પર્યાવરણના જતનના હેતુસર વૃક્ષારોપણ કરાયું હતું. ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી જુના તવરા સુધી 4 કિલોમીટરના ચાર માર્ગીય માર્ગનું 23 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું છે.
આ માર્ગ પર 250થી પણ વધુ  ઘટાદાર વૃક્ષો હતા જેને હટાવવામાં આવ્યા હતા જેના પગલે ઝાડેશ્વર ચોકડીને અડીને આવેલ અભિનવ એવન્યુ શોપિંગ પરિવાર દ્વારા આજે શોપિંગના આગળના ભાગ પર રોડને અડી 15થી વધુ વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું હતું. લોકોને ગરમી કે વરસાદમાં રાહત મળે એ હેતુથી વૃક્ષારોપાણનું આયોજન કરાયું હતું.
Latest Stories