અંકલેશ્વર : સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાલિકા દ્વારા મહા સફાઈ અભિયાન તથા સન્માન સમારોહ યોજાયો…

અંકલેશ્વર શહેરના માં શારદા ભવન ટાઉન હોલ ખાતે આજે તા. 2જી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે મહા સફાઈ અભિયાન તથા સન્માન સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

New Update

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો

માં શારદા ભવન ટાઉન હોલ ખાતે કરાયું આયોજન

મહા સફાઈ અભિયાન તથા સન્માન સમારોહ યોજાયો

વિવિધ વિસ્તારોમાં મહા સફાઈ અભિયાન હાથ ધરાયું

મોટી સંખ્યામાં પાલિકા સત્તાધીશો-નગરજનો જોડાયા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માં શારદા ભવન ટાઉનહોલ ખાતે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા મહા સફાઈ અભિયાન તથા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સમગ્ર દેશમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો સહિત સફાઈ અભિયાનો હાથ ધરવામાં આવી રહ્યા છેત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માં શારદા ભવન ટાઉન હોલ ખાતે આજે તા. 2જી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે મહા સફાઈ અભિયાન તથા સન્માન સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલત્રણ રસ્તા સર્કલથીONGC બ્રિજજીનવાલા સ્કૂલથી ત્રણ રસ્તા સર્કલપીરામણ નાકાથી સુરતી ભાગોળચૌટા નાકાથી હસતી તળાવ તેમજ ગડખોલ બ્રિજ સહિતના વિવિધ વિસ્તારોમાં મહા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતઉપપ્રમુખ ભાવેશ કાયસ્થમુખ્ય અધિકારી કેશવલાલ કોલડીયાકારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિતના નગરસેવકો-કર્મચારીગણ તેમજ મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી શ્રમદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરી બતાવ્યું હતું.

Read the Next Article

ભરૂચ: છોટુ વસાવાને 80માં જન્મદિવસે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા, કહ્યું કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા કર્યો પ્રયાસ !

આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે.

New Update
  • ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય

  • છોટુ વસાવા બન્યા બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ

  • 80માં જન્મદિવસે કરાય જાહેરાત

  • મહેશ વસાવાએ ટેકો જાહેર કર્યો

  • મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાને 80 માં જન્મદિવસે  BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા ટેકેદારોએ આ જાહેરાતને વધાવી લીધી હતી
આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય પુત્ર મહેશ વસાવા, દિલીપ વસાવા, કિશોર વસાવા સાથે અન્ય આગેવાનો પણ ઉમટી પડ્યા હતા.વાલિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાજુભાઇ વસાવા, રજની વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનો તેમજ સમર્થકોની હાજરીમાં છોટુ વસાવાના જન્મદિવસની ઉજવણી કરી તેઓને શુભકામનાઓ પાઠવાઈ હતી.
પૂર્વ ધારાસભ્યના જન્મદિવસે જ તેઓને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.તાજેતરમાં જ ભાજપ સાથે મોહભંગ થતા રાજીનામુ આપનાર તેમના પુત્ર મહેશ વસાવાએ આ જાહેરાતને ટેકો જાહેર કર્યો હતો. આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા પ્રયાસ કર્યા હતા પરંતુ હવે અમે એક થઈ લડીશું