અંકલેશ્વર : સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાલિકા દ્વારા મહા સફાઈ અભિયાન તથા સન્માન સમારોહ યોજાયો…

અંકલેશ્વર શહેરના માં શારદા ભવન ટાઉન હોલ ખાતે આજે તા. 2જી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે મહા સફાઈ અભિયાન તથા સન્માન સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

New Update

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો

માં શારદા ભવન ટાઉન હોલ ખાતે કરાયું આયોજન

મહા સફાઈ અભિયાન તથા સન્માન સમારોહ યોજાયો

વિવિધ વિસ્તારોમાં મહા સફાઈ અભિયાન હાથ ધરાયું

મોટી સંખ્યામાં પાલિકા સત્તાધીશો-નગરજનો જોડાયા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માં શારદા ભવન ટાઉનહોલ ખાતે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા મહા સફાઈ અભિયાન તથા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સમગ્ર દેશમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો સહિત સફાઈ અભિયાનો હાથ ધરવામાં આવી રહ્યા છેત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માં શારદા ભવન ટાઉન હોલ ખાતે આજે તા. 2જી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે મહા સફાઈ અભિયાન તથા સન્માન સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલત્રણ રસ્તા સર્કલથી ONGC બ્રિજજીનવાલા સ્કૂલથી ત્રણ રસ્તા સર્કલપીરામણ નાકાથી સુરતી ભાગોળચૌટા નાકાથી હસતી તળાવ તેમજ ગડખોલ બ્રિજ સહિતના વિવિધ વિસ્તારોમાં મહા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતઉપપ્રમુખ ભાવેશ કાયસ્થમુખ્ય અધિકારી કેશવલાલ કોલડીયાકારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિતના નગરસેવકો-કર્મચારીગણ તેમજ મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી શ્રમદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરી બતાવ્યું હતું.

 

Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.