ભરૂચ: અંકલેશ્વરના ભડકોદ્રા ગ્રામ પંચાયતની અનોખી પહેલ,ઘરવેરો ભરનારને આપવામાં આવે છે ડસ્ટબીન

ઘરવેરો નિયમિત રીતે ભરવા માટે આવતા લોકોને પંચાયત દ્વારા નિઃશુલ્ક ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે,જેમાં લીલા અને ભૂરા રંગના એમ બે ડસ્ટબીન આપવામાં આવી રહ્યા છે.

New Update
  • ભડકોદ્રા ગ્રામ પંચાયતની અનોખી પહેલ

  • ઘરવેરો અને સ્વચ્છતા માટેની જાગૃતતા લાવવાના પ્રયાસ

  • ઘરવેરો ભરતા લોકોને કરાય છે નિઃશુલ્ક ડસ્ટબીનનું વિતરણ

  • ગ્રામ પંચાયતના પ્રયાસને બિરદાવતા લોકો

  • સ્વચ્છ અને સ્વસ્થ ગામ માટે કરાય રહ્યો છે સ્તુત્ય પ્રયાસ

 ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગ્રામ પંચાયત દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે,જે અંતર્ગત ઘરવેરો ભરતા રહીશોને નિઃશુલ્ક ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગ્રામ પંચાયત તેની અનોખી વ્યવસ્થા થકી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે,ગ્રામ પંચાયત દ્વારા લોકોમાં ઘરવેરો સમયસર ભરવા માટે અને ગામ તેમજ સોસાયટીને સ્વચ્છ રાખવા માટે પહેલ કરવામાં આવી છે.જેમાં ઘરવેરો નિયમિત રીતે ભરવા માટે આવતા લોકોને પંચાયત દ્વારા નિઃશુલ્ક ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે,જેમાં લીલા અને ભૂરા રંગના એમ બે ડસ્ટબીન આપવામાં આવી રહ્યા છે.

અને લીલો તેમજ સૂકો કચરો અલગ અલગ રીતે ડસ્ટબીનમાં જમા કરવા માટે લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.આ પહેલ થકી લોકો ઘરવેરો ભરવા માટે જાગૃત બને તેમજ સ્વચ્છ ગામ સ્વસ્થ ગામની પહેલને અનુસરે તેવો સ્તુત્ય પ્રયાસ ભડકોદ્રા ગ્રામ પંચાયતના સરપંચ સપના વસાવા,તલાટી કમ મંત્રી રંજન વસાવા,ગામના આગેવાન રાકેશ પટેલ સહિત પંચાયતના સભ્યો દ્વારા કરવામાં આવ્યો છે.

ભડકોદ્રા ગ્રામ પંચાયતની આ પહેલથી જાગૃત થઈને લોકો ઘરવેરો ભરવા માટે પંચાયત કચેરી ખાતે આવી રહ્યા છે,અને પંચાયતની આ અનોખી વ્યવસ્થાને બિરદાવી રહ્યા છે.ઘરવેરો ભરવા માટે ભડકોદ્રા પંચાયત કચેરી ખાતે આવેલા ઉમેશકુમારે કનેક્ટ ગુજરાત સાથેની એક વાતચીતમાં જણાવ્યું હતું કે પંચાયત દ્વારા કરવામાં આવેલો નવતર પ્રયોગ વખાણવા લાયક છે,અને તેના થકી પંચાયત તેમજ પંચાયતના હદ વિસ્તારમાં રહેતા લોકો વચ્ચે એક સુમેળ ભર્યું વાતાવરણ બની રહેશે.

Read the Next Article

ભરૂચ : અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત, પોલીસે તપાસ આરંભી...

કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

New Update
  • અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

  • કાર ચાલકે બાઈક સવાર યુયાવ્કને અડફેટે લેતા કરૂણ મોત

  • સ્થળ પર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું

  • પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા મુખ્ય માર્ગની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ઉછાલી નજીક નાના પુલીયા તેમજ એપ્રોચ રોડની ચાલતી કામગીરીના પગલે માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. એટલું જ નહીંદઢાલ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું નિમિત્ત બની રહ્યા છે.

તેવામાં આજરોજ અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ભારત પેટ્રોલિયમ પાસે ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા 36 વર્ષીય શ્રમિક રાજુભાઈ ચખલીયા બાઈક પર ઉછાલી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર ચાલકે બેફિકરાઈ ભરી રીતે ખાડે ગયેલા રોડ પર પણ પૂરપાટ આવતા બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતાજેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પરિવારજનો હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાય હતી. ઘટના અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કેમાર્ગના નવીનીકરણ વચ્ચે વરસાદના પગલે માર્ગ વધુ બિસ્માર બન્યો છેજેથી વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છેત્યારે મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઇ લોકોમાં રોષ ફેલાયો છે.