ભરૂચ: અંકલેશ્વરના ભડકોદ્રા ગ્રામ પંચાયતની અનોખી પહેલ,ઘરવેરો ભરનારને આપવામાં આવે છે ડસ્ટબીન

ઘરવેરો નિયમિત રીતે ભરવા માટે આવતા લોકોને પંચાયત દ્વારા નિઃશુલ્ક ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે,જેમાં લીલા અને ભૂરા રંગના એમ બે ડસ્ટબીન આપવામાં આવી રહ્યા છે.

New Update
  • ભડકોદ્રા ગ્રામ પંચાયતની અનોખી પહેલ

  • ઘરવેરો અને સ્વચ્છતા માટેની જાગૃતતા લાવવાના પ્રયાસ

  • ઘરવેરો ભરતા લોકોને કરાય છે નિઃશુલ્ક ડસ્ટબીનનું વિતરણ

  • ગ્રામ પંચાયતના પ્રયાસને બિરદાવતા લોકો

  • સ્વચ્છ અને સ્વસ્થ ગામ માટે કરાય રહ્યો છે સ્તુત્ય પ્રયાસ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગ્રામ પંચાયત દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે,જે અંતર્ગત ઘરવેરો ભરતા રહીશોને નિઃશુલ્ક ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગ્રામ પંચાયત તેની અનોખી વ્યવસ્થા થકી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે,ગ્રામ પંચાયત દ્વારા લોકોમાં ઘરવેરો સમયસર ભરવા માટે અને ગામ તેમજ સોસાયટીને સ્વચ્છ રાખવા માટે પહેલ કરવામાં આવી છે.જેમાં ઘરવેરો નિયમિત રીતે ભરવા માટે આવતા લોકોને પંચાયત દ્વારા નિઃશુલ્ક ડસ્ટબીનનુંવિતરણ કરવામાં આવી રહ્યું છે,જેમાં લીલા અને ભૂરા રંગના એમ બે ડસ્ટબીન આપવામાં આવી રહ્યા છે.

અને લીલો તેમજ સૂકો કચરો અલગ અલગ રીતે ડસ્ટબીનમાં જમા કરવા માટે લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.આ પહેલ થકી લોકો ઘરવેરો ભરવા માટે જાગૃત બને તેમજ સ્વચ્છ ગામ સ્વસ્થ ગામની પહેલને અનુસરે તેવો સ્તુત્ય પ્રયાસ ભડકોદ્રા ગ્રામ પંચાયતના સરપંચ સપના વસાવા,તલાટી કમ મંત્રી રંજન વસાવા,ગામના આગેવાનરાકેશ પટેલસહિત પંચાયતના સભ્યોદ્વારા કરવામાં આવ્યો છે.

ભડકોદ્રા ગ્રામ પંચાયતની આ પહેલથી જાગૃત થઈને લોકો ઘરવેરો ભરવા માટે પંચાયત કચેરી ખાતે આવી રહ્યા છે,અને પંચાયતની આ અનોખી વ્યવસ્થાને બિરદાવી રહ્યા છે.ઘરવેરો ભરવા માટે ભડકોદ્રા પંચાયત કચેરી ખાતે આવેલા ઉમેશકુમારે કનેક્ટ ગુજરાત સાથેની એક વાતચીતમાં જણાવ્યું હતું કે પંચાયત દ્વારા કરવામાં આવેલો નવતર પ્રયોગ વખાણવા લાયક છે,અને તેના થકી પંચાયત તેમજ પંચાયતના હદ વિસ્તારમાં રહેતા લોકો વચ્ચે એક સુમેળ ભર્યું વાતાવરણ બની રહેશે.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.