ભરૂચ: નબીપુર નજીક ટ્રેનમાંથી પડી જતા અજાણ્યા વ્યક્તિનું મોત, રેલવે પોલીસે તપાસ શરૂ કરી

રેલવે ટ્રેક પર અજાણ્યા 45 વર્ષીય વ્યક્તિ સૌરાષ્ટ્ જનતા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી દરમિયાન અચાનક નીચે પડી જતા તેનું ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત નીપજ્યું

New Update
Saurashtra Janata Express train
ભરૂચના વરેડિયા-નબીપુર વચ્ચે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનમાંથી પડી જતા અજાણ્યા વ્યક્તિનું મોત નીપજ્યું હતું.ગતરોજ સાંજના સમયે ભરૂચના વરેડિયા-નબીપુર વચ્ચે રેલવે ટ્રેક પર અજાણ્યા 45 વર્ષીય વ્યક્તિ સૌરાષ્ટ્ જનતા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી દરમિયાન અચાનક નીચે પડી જતા તેનું ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે ભરૂચ રેલવે પોલીસે ગુનો નોંધી મૃતદેહના વાલી વારસાની શોધખોળ હાથ ધરી છે.