ભરૂચ: માર્ગ સલામતી માસમાં જ ટ્રાફિકના નિયમોમાં ધજાગરા, વિદ્યાર્થીઓને જીવના જોખમે રિક્ષામાં બેસાડી લઇ જતા ચાલકનો વિડીયો વાયરલ

ભરૂચમાં ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાવતો વિડીયો વાયરલ થયો છે. ભરૂચના પશ્ચિમ વિસ્તાર અને ચાવજ રોડ પર શાળાએ જતા વિદ્યાર્થીઓને રિક્ષામાં જીવના જોખમે બેસાડી લઈ જતા રીક્ષા ચાલકનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો

New Update
Rikshaw Viral Video
ભરૂચમાં સ્કૂલ રિક્ષામાં વિદ્યાર્થીઓને જીવના જોખમે બેસાડી લઈ જતા રીક્ષા ચાલકનો વિડીયો વાયરલ થયો છે. હાલમાં તંત્ર દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે તેવામાં ભરૂચમાં ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાવતો વિડીયો વાયરલ થયો છે. ભરૂચના પશ્ચિમ વિસ્તાર અને ચાવજ રોડ પર શાળાએ જતા વિદ્યાર્થીઓને રિક્ષામાં જીવના જોખમે બેસાડી લઈ જતા રીક્ષા ચાલકનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વિદ્યાર્થીઓનું અડધુ શરીર બહાર રહે તે રીતે તે  રીક્ષામાં બેસાડી રીક્ષા ચાલક લઈ જાય છે ત્યારે આ ઘટનામાં અકસ્માત સર્જાઈ અને વિદ્યાર્થીઓને ઈજા પહોંચે તો જવાબદાર કોણ તે પ્રશ્ન ઉઠી રહ્યો છે. ત્યારે બેજવાબદારી પૂર્વક રિક્ષા હંકરતા રીક્ષા ચાલકો પર પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
Read the Next Article

અંકલેશ્વર : રામકુંડ તીર્થ અને કબીર આશ્રમમાં ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી,ભક્તોએ મેળવ્યા ગરુજીના આશીર્વાદ

અંકલેશ્વરમાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી. શહેરના રામકુંડ તીર્થધામ , કબીર આશ્રમ સહિત ગુરુ આશ્રમમાં ભક્તોની ભીડ ઉમટી આશ્રમમાં ભક્તોએ ભજન કીર્તનની બોલાવી રમઝટ

New Update
  • અંકલેશ્વર ગુરુપૂર્ણિમાએ ભક્તિમય રંગમાં રંગાયું

  • ગુરુપૂર્ણિમાએ છલાક્યો ભક્તોનો ભક્તિરસ 

  • રામકુંડ તીર્થ,કબીર આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી

  • ગુરુદેવના આશ્રમમાં ભક્તોએ ભજન કીર્તનની બોલાવી રમઝટ

  • ગુરુવંદના અને આશીર્વાદ મેળવી ભક્તોએ ધન્યતા અનુભવી

અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ મહંત ગંગા દાસજી બાપુનું પૂજન કરી આર્શીવાદ મેળવ્યા હતા.જ્યારે શહેરના કબીર આશ્રમમાં પણ ગુરુ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો.

અંકલેશ્વરમાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી. શહેરના રામકુંડ તીર્થધામકબીર આશ્રમ સહિત ગુરુ આશ્રમમાં ભક્તોની ભીડ ઉમટી હતી.ગુરુના આશીર્વાદ મેળવી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

અંકલેશ્વરના વિવિધ મંદિર અને આશ્રમોમાં ભક્તોએ ગુરુ વંદના કરી ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા.અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા.,અને ભક્તોએ મહંત ગંગા દાસજી બાપુનું પૂજન કરી આર્શીવાદ મેળવ્યા હતા.

તો બીજી તરફ પંચાટી બજારમાં આવેલ  કબીર આશ્રમ ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને ભજન કીર્તન સાથે  ગુરુ ચરણ દાસજીની ગુરુ વંદના કરી ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા.અને ગુરુપૂર્ણિમાના પાવન અવસરે કબીર આશ્રમમાં ભક્તિરસ છલકાયો હતો.