ભાવનગર: 1.39 કરોડ રૂપિયાની નકલી ચલણી નોટ ઝડપાતા ચકચાર, 5 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

ભાવનગર શહેરમાંથી 1 કરોડ 39 લાખ રૂપિયાની નકલી નોટ ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

New Update
ભાવનગર: 1.39 કરોડ રૂપિયાની નકલી ચલણી નોટ ઝડપાતા ચકચાર, 5 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

ભાવનગર શહેરમાંથી 1 કરોડ 39 લાખ રૂપિયાની નકલી નોટ ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે 2000ના દરની 6951 જાલીનોટ સાથે પાંચ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ભાવનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓને મળેલી બાતમીના આધારે ભાવનગર શહેરના ઘોઘારોડ ગાયત્રીનગર વિસ્તારમાં આવેલી શ્રીરામ સોસાયટીમાં દરોડો પાડી તલાસી લેતા ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના ઇરાદે ગેરકાયદેસર રીતે રૂ.2000 ના દરની બનાવટી ભારતીય ચલણી નોટ તેમજ નોટ છાપવા માટેની સાધના સામગ્રી મળી આવી હતી. પોલીસે આ મામલામાં હિરેન રમેશભાઇ, હાર્દિક ભુપતભાઇ, પંકજ જીવાભાઇ, અયુબ ઉસ્માનભાઇ, મેરાજ કુરશીભાઇની ધરપકડ કરી હતી.પોલીસે રૂપિયા 1 કરોડ 39 લાખની બનાવટી ચલણી નોટ કબ્જે કરી હતી. ઝડપાયેલા પાંચ આરોપી પૈકી એક આરોપી અગાઉ 2017ની સાલમાં પણ જાલી નોટ છાપવાના કેસમાં ઝડપાયો હતો તેમ જ અન્ય બે આરોપીઓ પણ જુગાર મારામારી સહિતના ગુનાઓમાં સંડોવાયેલા હોવાને પોલીસ તપાસમાં ખુલ્યું હતું. આરોપીઓ પૈકી હિરેન તથા પંકજ સાળો બનેવી થાય છે. જ્યારે આરોપી હાર્દિક તથા સુરેશ જમાઈ તથા કાકાજી સસરા થાય છે. બાકીના આરોપીઓ એકબીજાના મિત્રો હોય જેલમાં મુલાકાત થયા બાદ જેલ મુક્ત થતાં જ આરોપીઓએ એકબીજાનો સંપર્ક કરી ઓછી મહેનતે વધુ નફો કમાવવા અને ધનવાન બનવાની લાલચે કાવતરું રચી મુંબઈ ખાતેથી પ્રિન્ટર લાવ્યા બાદ બનાવટી ચલણી નોટ છાપવાનું શરૂ કર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે

Read the Next Article

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 13 IAS અધિકારીઓની કરાઇ બદલી

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

New Update
રાજયમાં આઇએએસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.  

આ બદલીઓમાં પ્રથમ નામ  અશ્વિની કુમાર, IAS (RR:GJ:1997) ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાંથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 

જ્યારે  એમ. થેનારસન, IAS (RR:GJ:2000) ને  રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાંથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીની બદલી કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગર પાલિકાની કમિશનર ઓમ પ્રકાશની રાજકોટ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.  

રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.  શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમારની બદલી કરાઈ છે.  એમ. થેન્નારસન નવા શહેરી વિકાસ સચિવ બન્યા છે.  રમેશ મીણા પોર્ટ અને ટ્રાન્સપોર્ટના સચિવ બન્યા છે.  મીલિંદ તોરવણે પંચાયત સચિવ તરીકે નિમાયા છે.  આરતી કંવરને નાણા વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જેનુ દેવાનને મધ્ય ગુજરાત વિજ કંપનીનો ચાર્જ સોંપાયો છે.  તેજસ પરમાર જૂનાગઢના મ્યુ. કમિશનર બન્યા છે.  

રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીની બદલી કરવામાં આવી છે. પ્રભવ જોશી ટુરિઝમમાં એમડી બન્યા છે.  ઓમ પ્રકાશ રાજકોટના નવા કલેક્ટર બન્યા છે.  નર્મદાના DDO તરીકે રાજ સુથારની નિમણૂંક કરવામાં આવી છે. 

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC) ના મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ  તોરવાણે, IAS ને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેજસ દિલીપભાઈ પરમાર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરમાંથી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત થયા છે.

Latest Stories