ભાવનગર : મેડિકલ કોલેજના 3 ઈન્ટર્ન ડોક્ટર્સ સાથે સતત 3 કલાક રેગિંગ, 4 ઈન્ટર્ન સસ્પેન્ડ

ભાવનગર મેડિકલ કોલેજના ત્રણ ઈન્ટર્ન ડોક્ટરનું અપહરણ કરી તેમનું રેગિંગ કરવાની ચકચારી ઘટનાથી સમગ્ર રાજ્યની મેડિકલ કોલેજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા

New Update
  • મેડિકલ કોલેજમાં બની રેગિંગની ઘટના

  • રાજ્યની મેડિકલ કોલેજોમાં પડ્યા પ્રત્યાઘાત

  • ત્રણ ઈન્ટર્ન ડોક્ટર સાથે બની રેગિંગની ઘટના

  • કોલેજ દ્વારા ચાર ઈન્ટર્ન ડોકટર્સને કરાયા સસ્પેન્ડ

  • પોલીસ ફરિયાદ બાદ તપાસ બની તેજ  

ભાવનગરની સરકારી મેડિકલ કોલેજના ત્રણ ઈન્ટર્ન ડોક્ટરનું અપહરણ કરી તેમનું રેગિંગ કરવાની ચકચારી ઘટનાથી સમગ્ર રાજ્યની મેડિકલ કોલેજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.રેગિંગની ગંભીર ઘટનાને લઈ એન્ટી રેગિંગ કમિટીએ આ ગુન્હો આચરનાર ચાર ઈન્ટર્ન ડોકટર્સને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

ભાવનગરની સરકારી મેડિકલ કોલેજના વર્ષ-2019ની બેચના વિદ્યાર્થીઓની ઈન્ટર્નશિપ પૂર્ણ થતાં દિક્ષાંત સમારોહના આયોજનને લઈને વિદ્યાર્થીઓમાં રીતસર બે જૂથ પડી ગયા હતા.

દરમિયાનમાં દિક્ષાંત સમારોહના આયોજનને લઈને સોશિયલ મીડિયામાં થયેલી મજાકનું મનદુઃખ રાખી ડો.મિલન કાકલોતરડો.પિયુષ ચૌહાણડો.નરેન ચૌધરી,ડો.મન પટેલડો.અભિરાજ પરમાર તથા ડો.બળભદ્રએ સહઅધ્યાયી તથા જુનિયર્સ એવા ડો.આકાશ કરથિયા અને ડો.ઈશાન કોટકનું મેડિકલ કોલેજ પાસે આવેલી સ્વામી વિવેકાનંદ સર્કલ પાસેથી કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. અને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફેરવ્યો હતો અને બંનેને ધાક ધમકી આપી અપશબ્દો કહી ઢીકાપાટુનો માર માર માર્યો હતો.

આ પણ અધુરું હોય તેમ બંને અપહ્યત ઈન્ટર્ન ડોકટર્સને વલભીપુર વાડીએ લઈ જઈને ડો.બળભદ્રએ બે દિવસ સુધી ઉંધા લટકાવવાની ધમકી આપી હતી.ઉપરાંત આ તમામે એકસંપ કરી બંને ઈન્ટર્ન પાસેથી અશ્લીલ શબ્દો બોલાવ્યા હતા,અને જો તે ન બોલે તો તેમને ફરી માર મારવામાં આવ્યો હતો. ઉપરાંત  અપહ્યત બંનેને અટપટા સવાલો પૂછવામાં આવ્યા હતા. જેના ખોટા જવાબ આપે તો ફરી તેમને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

આ ઉપરાંત ડો.અમન શૈલેષભાઈ જોષીને પણ ઊંઘમાંથી ઉઠાડીને મોઢા અને ગાલ પર લાફા મારીઅપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તેને મૂર્ગો બનાવી મોઢા પર સિગરેટના ખાલી ખોખા ફેંક્યા હતા.ઇન્ટર્ન તબીબ સાથે થયેલા આ વ્યવહાર અંગે ત્રણેય પિડિત ઈન્ટર્ન ડોકટર્સ ભાવનગરની મેડિકલ કોલેજના ડીનને લેખિતમાં ફરિયાદ કરી હતી,અને તેઓને સારવાર અર્થે  ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મેડિકલ કોલેજમાં રેગિંગની ગંભીર ઘટનાને પગલે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં છ વિરુદ્ધ બે અલગ-અલગ ગુન્હા નોંધવામાં આવ્યા છે. બીજી તરફમેડિકલ કોલેજના ત્રણ વિદ્યાર્થીના અપહરણમારા મારવા  અને રેગિંગના બનાવને લઈને મોટી સંખ્યામાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સર ટી. હોસ્પિટલ પરિસરમાં એકત્રિત થયા હતા.

ત્યાર બાદ આ મુદ્દે મેડિકલ કોલેજ ખાતે રેગિંગ કમિટિના 11 સભ્યોની મિટિંગ મળી હતી. મેડિકલ કોલેજના ડીનડીવાયએસપીસીટી મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિતિમાં ત્રણ વિદ્યાર્થીઓના અપહરણહુમલો તથા રેગિંગ કરનાર ભાવનગરની જ મેડિકલ કોલેજના ચાર ઈન્ટર્ન ડોકટર્સને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો. રાજ્યના મેડિકલ કોલેજ ક્ષેત્રે ચકચાર જગાવનાર રેગિંગની ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધીને આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Read the Next Article

જૂનાગઢ : ઐતિહાસિક નગરીમાં રસ્તોઓની હાલત ખખડધજ બનતા કોંગ્રેસનું  વિરોધ પ્રદર્શન,શાસકો પર ભ્રષ્ટાચારના કર્યા આક્ષેપ

જૂનાગઢ  ઐતિહાસિક નગરીમાં જાહેર રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય સર્જાતા લોકો ત્રસ્ત થઇ ગયા છે,જ્યારે કોંગ્રેસ દ્વારા આ મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન કરીને શાસકો પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.

New Update
  • ઐતિહાસિક નગરી બની ખાડા નગરી

  • ખાડાનું સામ્રાજ્ય સર્જાતા લોકો ત્રસ્ત

  • કોંગ્રેસ દ્વારા કરાયો ઉગ્ર વિરોધ

  • કોંગ્રેસે ભ્રષ્ટ શાસનનો કર્યો આક્ષેપ

  • વિકાસના દાવાઓ પોકળ સાબિત થયા   

જૂનાગઢ  ઐતિહાસિક નગરીમાં જાહેર રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય સર્જાતા લોકો ત્રસ્ત થઇ ગયા છે,જ્યારે કોંગ્રેસ દ્વારા આ મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન કરીને શાસકો પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.

જૂનાગઢ શહેરમાં જાહેર રસ્તાઓ પર પડેલા ખાડાના પરિણામે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના મજેવડી દરવાજા નજીક મહા નગરપાલિકાના વિપક્ષના નેતાશહેર કોંગ્રેસ પ્રમુખનગર સેવકોઆગેવાનોએ મોટી સંખ્યામાં ભેગા થઈને રસ્તાઓ પર જે ખાડાઓ પડી ગયા છે અને તેમાં પાણી ભરાયા છે તે ખાડામાં બાળકો જે નોટોથી રમે છે તે જુદી જુદી નોટો વહાવી ભ્રષ્ટાચારીઓને અર્પણ કરવાનો વિરોધ કાર્યક્રમ કર્યો હતો.

આ પ્રસંગે 1500 કરોડના વિકાસ કામો કર્યા હોવાના દાવાઓ વચ્ચે જૂનાગઢને નર્કાગાર બનાવી દીધું છે,તેવા ગંભીર આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે. એક માસ પણ રોડ ટકતો નથી અને તેના લીધે જૂનાગઢના લોકો તથા બહારથી આવતા પ્રવાસીઓ પણ હેરાન પરેશાન થઇ ગયા છે.આવી ગંભીર સ્થિતિ હોવા છતાં જૂનાગઢના શાસકોની આંખ ઉઘડતી નહોવાનું જણાવીને શાસકોને જગાડવા માટે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.