ભાવનગર : જૂની અદાવતે 4 શખ્સોએ કરી યુવકની હત્યા

ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં 2 દિવસ પૂર્વે 3થી 4 શખ્સોએ અચાનક પાનની દુકાનમાં ઘસી આવે છે, ત્યાં એક યુવકને માર મારતા તેઓ રસ્તા પર જાહેરમાં લાવે

New Update

ભાવનગર શહેર વડવા વિસ્તારમાં જાહેરમાં 3 શખ્સોએ યુવક પર છરીઓના ઘા ઝીંક્યા હતાત્યારે ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા નિલમબાગ પોલીસે હત્યાનો ગુન્હો દાખલ કરી હત્યારાઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં 2 દિવસ પૂર્વે 3થી 4 શખ્સોએ અચાનક પાનની દુકાનમાં ઘસી આવે છેત્યાં એક યુવકને માર મારતા તેઓ રસ્તા પર જાહેરમાં લાવે છેઅને ત્યારબાદ તેને ધોકાપાઇપ અને છરી વડે માર મારવામાં આવે છેત્યારે ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા નિલમબાગ પોલીસે હત્યાનો ગુન્હો દાખલ કરી હત્યારાઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. આ બનાવમાં સંડોવાયેલ અલ્તાફ ઉર્ફે ડબલ મર્ડરનું નામ સપાટી પર આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે. અલ્તાફ ઉર્ફે ડબલ મર્ડરે અગાઉ તેના 2 સગા બનેવીની હત્યા કરી હતી. તેમજ અન્ય એક યુવકની પણ હત્યા કર્યા બાદ ગઇકાલે વધુ એક યુવકની હત્યા કરતા તેની સામે આ ચોથો મર્ડરનો ગુનો દાખલ થયો છે. જોકેપોલીસે આ બનાવ અંગે 3 આરોપી સામે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ગીર સોમનાથ : સુત્રાપાડાના સમુદ્રકાંઠે 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવતા ચકચાર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે.

New Update
  • અફઘાન પ્રોડક્ટ લખેલું બિનવારસી મળ્યું પેકેટ

  • 1150 ગ્રામ ચરસ મળી આવતા ચકચાર

  • જિલ્લાનો 110 કિમીનો કોસ્ટલ બેલ્ટ એલર્ટ 

  • પોલીસે 57.50 લાખનું ચરસ કર્યું  જપ્ત

  • SOG,LCB,મરીન પોલીસ તપાસમાં જોડાય

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાંSOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અને તપાસ શરૂ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના દરિયા કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવ્યું હતું.ઘટનાને પગલે ગીર સોમનાથSOG,LCB અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અગાઉ પણ ગીર સોમનાથના વેરાવળધામળેજ અને વડોદરા ઝાલા સહિતના દરિયાકિનારા વિસ્તારમાંથી ચરસના પેકેટો મળી આવ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા છે.

પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે આ પેકેટ સમુદ્રમાંથી તણાઈને કિનારે આવ્યું હોઈ શકે છે. ગિર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરી રહ્યા છે.