ભાવનગર : આઇસર ટેમ્પો પલટી મારી જતાં ભડભીડ ગામના 6 શ્રમિકોનું ઘટના સ્થળે મોત...

New Update
ભાવનગર : આઇસર ટેમ્પો પલટી મારી જતાં ભડભીડ ગામના 6 શ્રમિકોનું ઘટના સ્થળે મોત...

વલભીપુરમાં આઇસર ટેમ્પો પલટી મારતા અકસ્માત

Advertisment

ભડભીડ ગામના 6 શ્રમિકોના ઘટના સ્થળ પર જ મોત

આઇસર ટેમ્પોનું ટાયર ફાટતા સર્જાયો હતો અકસ્માત

ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના મેવાસા ગામ નજીક આઇસર ટેમ્પોનું ટાયર ફાટતા રસ્તા પરથી નીચે ઉતરીને પલટી મારી ગયો હતો. આ ટેમ્પો ઝીંઝાવદર ગામથી લીલું ઘાસ ભરીને ભાવનગર તરફ આવી રહ્યો હતો. ટેમ્પામાં 14 જેટલા શ્રમિક લોકો સવાર હોય, ત્યારે ટેમ્પો મેવાસા ગામ નજીક પહોંચતા રોડ ઉપરથી અચાનક નીચે ખાબક્યો હતો. જેને પગલે 14 શ્રમિકો પૈકી 6 શ્રમિકોનું ટેમ્પો નીચે દબાઈ જતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવના પગલે 108ની ટીમે સ્થળ પર આવી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા

ભાવનગરના વલભીપુરમાંથી કરુણાંતિકા સામે આવી છે. આઇસર ટેમ્પો પલટી મારી જતા 6 શ્રમિકો દબાયા હતા. જેમાં નવઘણ રાઠોડ, કાવા મકવાણા, સિતુ ચૌહાણ, અલ્પેશ વેગડ, મની રાઠોડ અને કોમલ રાઠોડનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે એક મહિલા અને એક પુરુષને ગંભીર ઈજા પહોંચી હતી. જેઓને સારવાર અર્થે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઇ રાજકીય નેતાઓ સહિત ડીવાયએસપી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. લોકોના મોત નીપજતા ડિવાઇસપી સહિતનો પોલીસનો કાફલો સામૂહિક આરોગ્ય કેન્દ્ર વલભીપુર ખાતે દોડી આવ્યો હતો.


Advertisment


Advertisment
Read the Next Article

સંઘપ્રદેશ દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો, દાહોદથી 3 તસ્કરોની ધરપકડ

તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

New Update
  • સંઘપ્રદેશ દમણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી સફળતા

  • 20 દિવસમાં જ રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલ્યો

  • દાહોદ ખાતેથી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી

  • સોનું અને 8 હજાર UK પાઉન્ડ રોકડની થઈ હતી ચોરી

  • પોલીસે 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું રિકવર કર્યું 

Advertisment

સંઘપ્રદેશ દમણ પોલીસે માત્ર 20 દિવસમાં જ મોટી દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલી કાઢી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી રૂ. 18.17 લાખની કિંમતનું 261.530 ગ્રામ સોનું જપ્ત કર્યું છે.

ગત તા. 28 ફેબ્રુઆરી-2025ના રોજ સંઘપ્રદેશ દમણના મોટી દમણ વિસ્તારમાં આવેલ મંદિર શેરી વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઈ ટંડેલના ઘરમાંથી ચોરી થઈ હતી. ટંડેલ પરિવાર લંડનથી ભારત આવ્યો હતોત્યારે તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી હતી. આ સાથે જ શ્રી રણછોડરાયજી મંદિરની દાનપેટીમાં રહેલ 20થી 25 હજારની રોકડ પર હાથફેરો કર્યો હતો. સમગ્ર મામલે દમણ ક્રાઇમ બ્રાન્ચના PSI ભરત પરમારના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દાહોદથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચોરીને અંજામ આપનાર મુખ્ય આરોપી ભરત મોતીલાલ પંચાલ જે 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. તે ગુજસીટોક હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છેજ્યારે અન્ય 2 આરોપીઓમાં જિજ્ઞેશ રાજુભાઈ પંચાલ અને પંકજકુમાર ઉર્ફે પુનીત ભરતભાઈ સોનીનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું પણ રિકવર કર્યું છે. હાલ સમગ્ર મામલામાં વધુ લોકો સામેલ હોય તેવું પોલીસ જણાવી રહી છેત્યારે આગામી તપાસમાં વધુ લોકોને પોલીસ દ્વારા પકડવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. દમણ પોલીસની ઝડપી કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

Advertisment
Latest Stories