ભાવનગર: જમનાકુંડ વિસ્તારમાં અંગત અદાવતે આધેડની છરીના ઘા મારી હત્યા,આરોપીઓની પોલીસે કરી ધરપકડ

શહેરના જમનાકુંડ વિસ્તારમાં અગાઉના ઝઘડાની રીસ રાખી એક વ્યક્તિને માર મારી તેની હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે

New Update
ભાવનગર: જમનાકુંડ વિસ્તારમાં અંગત અદાવતે આધેડની છરીના ઘા મારી હત્યા,આરોપીઓની પોલીસે કરી ધરપકડ

ભાવનગર શહેરના જમનાકુંડ વિસ્તારમાં અગાઉના ઝઘડાની રીસ રાખી એક વ્યક્તિને માર મારી તેની હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે

ભાવનગરના જમનાકુંડ, ઈબ્રાહીમ મસ્જિદ સામે આવેલ જાફરી સોસાયટીમાં રહેતા અને અલંગના ઇલેક્ટ્રીક ઓટો મશીનનો વેપાર કરતા મોહમ્મદહાદિ આશિકભાઈ જમાણીના પિતા આશિકભાઈ જમાણીએ તેમની સોસાયટીના નાકા પાસે ઊભા રહી ગાળાગાળી તેમજ આવારાગીર્દી કરતા પ્રભુદાસ તળાવમાં રહેતા અઝરુદ્દીન ઉર્ફે હજુ અબ્દુલઝફાર બેલીમને બે ત્રણ વખત ટપારેલ તેની દાજ રાખી ગત રાત્રે જાફરી સોસાયટીના પાર્કિંગમાં ખોજા સમાજનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, તેમાં મોડી રાત્રે 11 વાગ્યાના સુમારે અઝરુદ્દીન ઉર્ફે અજુ બેલીમ, ઉમંગ જાેગી તેમજ બે અજાણ્યા માણસો બે મોટર સાયકલ લઈને આવ્યા હતા અને આશિકભાઈ જમાણીને બોલાવીને અઝરુદીને 'તું કેમ મને વણ માગી સલાહ આપે છે',

તેમ કહી તેની પાસે રહેલી છરી અને અન્ય એક શખ્સ આમથી તેમ છરી ફેરવીને છરીનો એક ઘા આશીકભાઈના સાથળના ભાગે ઝીકી દીધો હતો અને તેની સાથેના માણસોએ ઢીકા પાટુનો માર માર્યો હતો. આ વખતે આશીકભાઈના પુત્ર સહિતના બચાવવા માટે દોડતા અઝરુદ્દીનની પત્નીએ આડા ઉભા રહીને અવરોધ કર્યો હતો,જાેકે સમાજના અન્ય લોકો આવી જતા આ શખ્સો બાઇક પર ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત આશીકભાઈને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મોહમદહાદી જમાણીએ અઝરુદ્દીન, તેની પત્ની,ઉમંગ જાેગી તેમજ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાવતા ગંગાજળિયા પોલીસે તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Read the Next Article

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર વિદ્યાર્થીની ચેટ આવી સામે

સેવન્થ ડે સ્કૂલમાં 8માં ધોરણના વિદ્યાર્થીએ નાના ઝઘડામાં 10માં ધોરણના વિદ્યાર્થીને છરી મારીને હત્યા કરવામાં આવી આરોપીએ ચેટમાં હત્યા કરી હોવાનું કબૂલ્યું

New Update
Seventh Day School Khokhra

અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં 8માં ધોરણના વિદ્યાર્થીએ નાના ઝઘડામાં 10માં ધોરણના વિદ્યાર્થીને છરી મારીને હત્યા કરવામાં આવી હતી તપાસમાં હત્યારા વિદ્યાર્થીએ ઘટના બાદ જે સોશિયલ મીડિયા પર ચેટ કરી હતી તે પોલીસના હાથે લાગી છે અને તેમાં ખુલાસો થયો છે જેમાં આરોપીએ ચેટમાં હત્યા કરી હોવાનું કબૂલ્યું છે.

Seventh Day School Khokhra

મૃત વિદ્યાર્થીએ તેને તું કોન હૈ ક્યાં કર લેગા? તેમ કહ્યું હતું એટલે મેં ચાકુ માર્યુ તેવી ચેટ જોવા મળી છે. સામેના શખ્સે કહ્યું કે સામેના શખ્સે કહ્યું, અરે તો ચાકૂ થોડી મારના હોતા હૈ...આ ચેટ તેના કોઇ મિત્ર અથવા ભાઇ સાથેની હોઇ શકે છે. સામે જે શખ્સ છે તેણે આરોપીને અંડરગ્રાઉન્ડ થવાની સલાહ આપી હતી.

ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા આ બનાવની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ છે. ક્રાઈમ બ્રાંચના પીઆઈ એસ જે જાડેજા આ હત્યાની તપાસ કરી રહ્યા છે.