ભાવનગર:આંગણવાડી બહેનોએ થાળી નાદ કરી વિરોધ દર્શાવ્યો, પડતર પ્રશ્નો બાબતે વિરોધ પ્રદર્શન
ભાવનગરમાં આંગણવાડી બહેનોએ થાળીનો નાદ કરી વિવિધ પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતુ.
BY Connect Gujarat Desk2 Nov 2023 6:06 AM GMT
X
Connect Gujarat Desk2 Nov 2023 6:06 AM GMT
ભાવનગરમાં આંગણવાડી બહેનોએ થાળીનો નાદ કરી વિવિધ પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતુ.
ગુજરાત રાજ્યમાં આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા પોતાની માંગને પગલે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. પહેલી નવેમ્બરના રોજ આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા નવતર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે ભાવનગર આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા શહેરમાં પિલગાર્ડન ખાતે થાળી નાદ કરીને વિરોધ નોંધાવ્યો હતો અને સરકારના કાન ખોલવા માટે આ થાળી નાદ કરવામાં આવ્યો હોવાનું આંગણવાડી કર્મચારી સંઘે જણાવ્યુ હતું. આવનારા સમયમાં પ્રશ્નનું નિરાકરણ નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે
Next Story