ભાવનગર: રથયાત્રા પૂર્વે રેન્જ આઈ.જી ગૌતમ પરમાર દ્વારા સુરક્ષા વ્યવસ્થાની કરવામાં આવી સમીક્ષા

દેશની ત્રીજા અને ગુજરાતની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગર ખાતે આયોજન થઈ છે

New Update
ભાવનગર: રથયાત્રા પૂર્વે રેન્જ આઈ.જી ગૌતમ પરમાર દ્વારા સુરક્ષા વ્યવસ્થાની કરવામાં આવી સમીક્ષા

ભાવનગરમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાશે ત્યારે રથયાત્રા પૂર્વે રેન્જ આઈ.જી ગૌતમકુમાર પરમાર, એસ.પી ડો રવિન્દ્ર પટેલ સહિત પોલીસ અધિકારીઓ સાથે રથયાત્રા રૂટ પર રિહર્સલ કર્યું હતુ

દેશની ત્રીજા અને ગુજરાતની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગર ખાતે આયોજન થઈ છે ત્યારે ભાવનગર ખાતે 38મી રથયાત્રાનો ભવ્ય ઉત્સવ યોજવનો છે ત્યારે જગતના નાથ ભાવનગર શહેર ના રાજ માર્ગે યાત્રા કરવા પ્રસ્થાન કરશે જેને માટે પોલીસ તંત્ર દ્વારા રથની સુક્ષા થી લઈને તમામ રૂટ પર દસ જિલ્લાના પોલીસ સહિત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જ્યારે રથયાત્રા રૂટ પર ભાવનગર રેન્જ આઈ.જી ગૌતમકુમાર પરમાર એસ.પી. ડો રવિન્દ્ર પટેલ, ASP, DYSP, સહિત ના અધિકારીઓએ રિહર્સલ કર્યું હતું અને સંવેદનશીલ વિસ્તરમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ રિહર્સલ દરમિયાન રેન્જ આઈ.જી દ્વાર બાળ પ્રેમ પણ જોવા મળ્યો હતો.રિહર્સલમાં પોલીસને જોવા આવેલ બાળકોને આઈ. જી દ્વારા ચોકલેટ આપીને થોડીક ક્ષણ બાળકો સાથે વિતાવી હતી તેમજ મુસ્લિમ સમાજ દ્વારા પોલીસ અધિકારીઓનું સન્માન કર્યું હતું 

Read the Next Article

સુરત : એરપોર્ટને નડતરરૂપ બહુમાળી ઈમારતનો મુદ્દો ગરમાયો,ક્રેડાઈ દ્વારા કલેક્ટરને કરાઈ રજૂઆત

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ સુરતમાં વર્ષોથી ચાલતા એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગો ફરી એકવાર શહેરમાં ચર્ચાનો વિષય બની છે.

New Update
  • એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગના સર્વેનો મામલો

  • ક્રેડાઈ દ્વારા જિલ્લા કલેકટરને કરાઈ રજૂઆત

  • એરપોર્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવશે માહિતી

  • નડતરરૂપ બિલ્ડિંગ અંગે આપવામાં આવશે માહિતી

  • બિલ્ડિંગ ઓનર દ્વારા ન્યાયાલય સમક્ષ ન્યાયની માંગ  

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ સુરતમાં વર્ષોથી ચાલતા એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગો ફરી એકવાર શહેરમાં ચર્ચાનો વિષય બની છે. ત્યારે એરપોર્ટ ઓથોરિટી ઝડપથી આ દિશામાં કોઈ નિર્ણય લેશે તેવી આશા બંધાઈ છે. તો બીજી તરફ ક્રેડાઈ દ્વારા આ મામલે કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.

અમદાવાદમાં થયેલી ઘટના બાદ હવે સુરતના લોકોના પણ જીવ તાળવે ચોંટી ગયા છે. માત્ર ઈમારતમાં રહેતા લોકો જ નહીં પરંતુ જે ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા છે તેમના માટે પણ આ એક મોટો ચિંતાનો વિષય છે. નડતરરૂપ બિલ્ડિંગોને દૂર કરવામાં આવે તો સુરતમાં આવતી ફ્લાઇટ કોઈપણ મુશ્કેલી વગર સરળતાથી લેન્ડિંગ થઈ શકશે. આ બાબતને લઈને કલેક્ટરે પણ પોતાની ગંભીરતા હાલ દાખવી છે. નડતરરૂપ બિલ્ડિંગો કઈ કઈ છે તે અંગે માહિતી એરપોર્ટ ઓથોરિટી આપી શકે છે. તેમની સૂચના બાદ જ જે બિલ્ડિંગો નડતરરૂપ જણાશે તેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી કલેક્ટરને જાણ કરશે કઈ કઈ બિલ્ડિંગોનો કેટલો ભાગ ઉતારી લેવા જેવો છે અને ત્યાર બાદ કલેક્ટર કોર્પોરેશન પાસે મેનપાવર અને મશીનરી પાવર માંગી નડતર દૂર કરવાની કાર્યવાહી કરશે.જોકે આ બધી કાર્યવાહીને પગલે બિલ્ડીંગ ઓનરોમાં ફફડાટ વ્યાપી ગયો છે,અને તેઓએ આ મુદ્દે કોર્ટ સમક્ષ ન્યાયની માંગ કરી છે.

Latest Stories