Connect Gujarat
ગુજરાત

ભાવનગર: રથયાત્રા પૂર્વે રેન્જ આઈ.જી ગૌતમ પરમાર દ્વારા સુરક્ષા વ્યવસ્થાની કરવામાં આવી સમીક્ષા

દેશની ત્રીજા અને ગુજરાતની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગર ખાતે આયોજન થઈ છે

X

ભાવનગરમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાશે ત્યારે રથયાત્રા પૂર્વે રેન્જ આઈ.જી ગૌતમકુમાર પરમાર, એસ.પી ડો રવિન્દ્ર પટેલ સહિત પોલીસ અધિકારીઓ સાથે રથયાત્રા રૂટ પર રિહર્સલ કર્યું હતુ

દેશની ત્રીજા અને ગુજરાતની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગર ખાતે આયોજન થઈ છે ત્યારે ભાવનગર ખાતે 38મી રથયાત્રાનો ભવ્ય ઉત્સવ યોજવનો છે ત્યારે જગતના નાથ ભાવનગર શહેર ના રાજ માર્ગે યાત્રા કરવા પ્રસ્થાન કરશે જેને માટે પોલીસ તંત્ર દ્વારા રથની સુક્ષા થી લઈને તમામ રૂટ પર દસ જિલ્લાના પોલીસ સહિત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જ્યારે રથયાત્રા રૂટ પર ભાવનગર રેન્જ આઈ.જી ગૌતમકુમાર પરમાર એસ.પી. ડો રવિન્દ્ર પટેલ, ASP, DYSP, સહિત ના અધિકારીઓએ રિહર્સલ કર્યું હતું અને સંવેદનશીલ વિસ્તરમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ રિહર્સલ દરમિયાન રેન્જ આઈ.જી દ્વાર બાળ પ્રેમ પણ જોવા મળ્યો હતો.રિહર્સલમાં પોલીસને જોવા આવેલ બાળકોને આઈ. જી દ્વારા ચોકલેટ આપીને થોડીક ક્ષણ બાળકો સાથે વિતાવી હતી તેમજ મુસ્લિમ સમાજ દ્વારા પોલીસ અધિકારીઓનું સન્માન કર્યું હતું

Next Story