ભાવનગર: ભાજપ દ્વારા "લાભાર્થી સંમેલન"નું કરાયુ આયોજન,મોદી સરકારના 9 વર્ષની ઉજવણી
મોતીબાગ ટાઉનહોલ ખાતે શહેર ભાજપ દ્વારા મોદી સરકારના સુશાસનના ૯ વર્ષ વર્ષ અંતર્ગત “ લાભાર્થી સંમેલન” નું આયોજન કરવામાં આવ્યુ હતું.
BY Connect Gujarat Desk19 Jun 2023 7:22 AM GMT
X
Connect Gujarat Desk19 Jun 2023 7:22 AM GMT
ભાવનગર શહેર ભાજપ દ્વારા મોતીબાગ ટાઉનહોલ ખાતે કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના નવ વર્ષ અંતર્ગત "લાભાર્થી સંમેલન"નું આયોજન કરવામાં આવ્યુ હતુ
ભાવનગર શહેરના મોતીબાગ ટાઉનહોલ ખાતે શહેર ભાજપ દ્વારા મોદી સરકારના સુશાસનના ૯ વર્ષ વર્ષ અંતર્ગત “ લાભાર્થી સંમેલન” નું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સંમેલનનો પ્રારંભ દીપપ્રગટ્ય અને મહેમાનોના સન્માન સાથે થયો હતો.આ સંમેલનમાં અનેક લાભાર્થીઓએ કેન્દ્ર સરકારની યોજનામાં પોતાને મળેલા લાભો અંગે સ્વમુખે વર્ણન કરી યોજનાઓ અને સરકારની કામગીરીને બિરદાવી હતી
Next Story