Connect Gujarat
ગુજરાત

ભાવનગર : આનંદનગર આંગણવાડી કેન્દ્રમાં દારૂડિયાઓએ કરી તોડફોડ, સ્થાનિકોમાં રોષ...

આનંદનગર વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્રમાં અસામાજિક તત્વો દ્વારા દારૂની મહેફિલો માણી તોડફોડ કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.

X

ભાવનગર શહેર આનંદનગર વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્રમાં અસામાજિક તત્વો દ્વારા દારૂની મહેફિલો માણી તોડફોડ કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.

ભાવનગર શહેરમાં ફરી એકવાર વિદ્યાના મંદિરમાં દારૂડિયાઓનો આતંક સામે આવ્યો છે. આનંદનગર વિસ્તારમાં આવેલ જલારામબાપા પ્રાથમિક શાળા નજીક આંગણવાડી કેન્દ્રમાં અસામાજિક તત્વો દ્વારા રાત્રે દારૂની મહેફિલો માણી તોડફોડ કરવામાં આવી હતી. આંગણવાડીના દ્રશ્ય જોતા લાગે છે કે, અસામાજિક તત્વોને પોલીસનો ડર રહ્યો નથી. એક તરફ ગાંધીનું ગુજરાત કહેવામાં આવે છે. તો બીજી તરફ, પોલીસ દ્વારા કરોડો રૂપિયાનો દારૂ પણ ઝડપી લેવામાં આવે છે. પરંતુ તેમ છતાં આવા કિસ્સાઓ બંધ થવાનું નામ નથી લેતું. અગાઉ પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અસામાજિક તત્વોએ તોડફોડ કર્યાના કિસ્સા બનવા પામેલ છે, ત્યારે વધુ એક આવો કિસો સામે આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.

Next Story