ભાવનગર : શિક્ષણ મંત્રીએ પાણી મુદ્દે આપ્યું હતું "આશ્વાશન", પાણી નહીં મળતા મહિલાઓ માથે પીપળા મુકી રસ્તે ઉતરી...

કુંભરવાડા વિસ્તારની મહિલાઓએ પાણી મુદ્દે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. પરંતુ આજે એક આઠવડિયા બાદ પણ પાણી નહીં મળતા મહિલાઓ માથે પીપળા મૂકીને રસ્તે ઉતરી આવી હતી.

New Update
ભાવનગર : શિક્ષણ મંત્રીએ પાણી મુદ્દે આપ્યું હતું "આશ્વાશન", પાણી નહીં મળતા મહિલાઓ માથે પીપળા મુકી રસ્તે ઉતરી...

ભાવનગર શહેરના કુંભરવાડા વિસ્તારની મહિલાઓએ પાણી મુદ્દે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. પરંતુ આજે એક આઠવડિયા બાદ પણ પાણી નહીં મળતા મહિલાઓ માથે પીપળા મૂકીને રસ્તે ઉતરી આવી હતી.

આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે, ગત તા. 5 મેના રોજ ભાવનગર શહેરના કુંભરવાડા વિસ્તારમાં રહેતી મહિલાઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતના છે. ભાજપ કાર્યાલય ખાતે પહોચેલી મહિલાઓએ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પાણી મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે, શિક્ષણ મંત્રીના હોમટાઉનમાં જ પાણીની બૂમો ઉઠતાં તેઓએ આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા આશ્વાસન આપ્યું હતું. પરંતુ એક અઠવાડિયું વીતી જતાં પરિસ્થિતી યથાવત છે, ત્યારે આજરોજ માત્ર એક જ ટેન્કર દ્વારા પાણી મળતા મહિલાઓમાં ફરી રોષ જોવા મળ્યો હતો.

ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી અનેક વિસ્તારોમાં પીવાના પાણીનો પ્રશ્ન ઉપજ્યો છે. દિવસેને દિવસે વધતી જતી ગરમી અને કપરા ઉનાળામાં કુંભારવાડા વિસ્તારમાં પાણી નહી મળતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. છેલ્લા 90 દિવસથી પાલિકા દ્વારા પીવાનું પાણી વિતરણ નહીં કરાતા સ્થાનિક મહિલાઓ રસ્તે ઉતરી આવી હતી. રોષે ભરાયેલી મહિલાઓએ માથે પીપળા મૂકી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સહીત ભાજપ નામના છાજીયા લઇ વિરોધ દર્શાવ્યો હતો.