ભાવનગર : ઓઝ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થી પર છરીના ઘા ઝીંકનાર વિદ્યાર્થિનીના પિતાની ધરપકડ...

વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરાયા હોવાની ઘટના બની હતી. સમગ્ર મામલે હુમલો કરનાર વિદ્યાર્થિનીના પિતાની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
  • સીદસર રોડ સ્થિત ઓઝ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની ઘટના

  • વિદ્યાર્થિનીના પિતાએ અન્ય વિદ્યાર્થી પર ઝીંક્યા છરીના ઘા

  • વિદ્યાર્થી પર હીંચકારા હુમલાની સમગ્ર ઘટના CCTVમાં કેદ

  • વિદ્યાર્થિની સાથે વાતચીત કરવા જેવી બાબતે કર્યો હુમલો

  • હુમલો કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી

Advertisment

ભાવનગર શહેરના સીદસર રોડ પર આવેલ શૈક્ષણિક સંકુલમાં સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે વાત કરવાની દાઝ રાખી વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરાયા હોવાની ઘટના બની હતી. સમગ્ર મામલે હુમલો કરનાર વિદ્યાર્થિનીના પિતાની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર શહેરના સીદસર રોડ પર આવેલ ઓઝ ઇન્સ્ટિટ્યૂટ નામની શૈક્ષણિક સંસ્થા ખાતે એક વિદ્યાર્થી પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયાની ઘટના બની હતી. મળતી માહિતી અનુસારઓઝ ઇન્સ્ટિટ્યૂટ ખાતે નિટમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી કાર્તિક સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે વાત કરતો હોયજે અંગે વિદ્યાર્થીનીના પિતા જગદીશ રાછડને જાણ થતાં તેઓએ વિદ્યાર્થીને તેની દીકરી સાથે વાત નહી કરવા સમજાવવા માટે શૈક્ષણિક સંકુલ ખાતે મિટિંગ હોલમાં બોલાવ્યો હતો.

જ્યાં મિટિંગ દરમિયાન સંચાલક સહિતનાની હાજરીમાં જગદીશ રાછડએ અચાનક ઉશ્કેરાઈ જઈ વિદ્યાર્થી કાર્તિક પર છરી વડે હુમલો કરતા દેકારો મચી ગયો હતો. બનાવના પગલે સંસ્થાના અન્ય લોકો આવી જતા હુમલો કરનાર જગદીશ રાછડને બહાર લઇ ગયા હતાઅને ઈજાગ્રસ્ત વિદ્યાર્થી કાર્તિકને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતોજ્યાં વિદ્યાર્થીની સ્થિતિ ગંભીર હોવાથી તેને ICUમાં રાખવામાં આવ્યો હતો.

તો બીજી તરફઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાને જાણ થતાં તેઓ પરિવારજનો સાથે હોસ્પિટલ દોડી આવ્યા હતા. ત્યારબાદ ઘટના અંગે વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી વિદ્યાર્થી કાર્તિક પર હુમલો કરનાર જગદીશ રાછડને ઝડપી પાડ્યો હતો.

Advertisment
Read the Next Article

પોલીસ પુત્રની કરપીણ હત્યા..! : ભાવનગરમાં સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસ પુત્રને 2 શખ્સોએ રહેંસી નાંખ્યો...

હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા

New Update
  • શહેરમાં ધોળે દિવસે બની હત્યાની ચકચારી ઘટના

  • 2 શખ્સે કરી મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યા

  • સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો પોલીસ પુત્ર

  • બનાવના પગલે પોલીસ અધિકારીઓ દોડી આવ્યા

  • દીકરાના મૃતદેહ નજીક માતાનું હૈયાફાટ રુદન 

Advertisment

ભાવનગર શહેરમાં ધોળે દિવસે મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર 2 શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પોલીસ પુત્રની કરપીણ હત્યા કરી ફરાર થઇ ગયા છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી મુજબભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા રેખાબેન આહીરનો પુત્ર કેવલ દિલીપભાઈ આહીર પોતાના મિત્ર સાથે પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો. આ દરમિયાન 2 શખ્સો કેવલને છરીના આડેધડ ઘા મારી કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

આ હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાજ્યાં તેમના હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની ફેલાય હતી. બનાવને લઇને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. હાલ પોલીસે CCTVના આધારે ફરાર થઇ ગયેલા આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

Advertisment