ભાવનગર : ઓઝ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થી પર છરીના ઘા ઝીંકનાર વિદ્યાર્થિનીના પિતાની ધરપકડ...

વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરાયા હોવાની ઘટના બની હતી. સમગ્ર મામલે હુમલો કરનાર વિદ્યાર્થિનીના પિતાની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
  • સીદસર રોડ સ્થિત ઓઝ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની ઘટના

  • વિદ્યાર્થિનીના પિતાએ અન્ય વિદ્યાર્થી પર ઝીંક્યા છરીના ઘા

  • વિદ્યાર્થી પર હીંચકારા હુમલાની સમગ્ર ઘટનાCCTVમાં કેદ

  • વિદ્યાર્થિની સાથે વાતચીત કરવા જેવી બાબતે કર્યો હુમલો

  • હુમલો કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી

ભાવનગર શહેરના સીદસર રોડ પર આવેલ શૈક્ષણિક સંકુલમાં સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે વાત કરવાની દાઝ રાખી વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરાયા હોવાની ઘટના બની હતી. સમગ્ર મામલે હુમલો કરનાર વિદ્યાર્થિનીના પિતાની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર શહેરના સીદસર રોડ પર આવેલ ઓઝ ઇન્સ્ટિટ્યૂટ નામની શૈક્ષણિક સંસ્થા ખાતે એક વિદ્યાર્થી પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયાની ઘટના બની હતી. મળતી માહિતી અનુસારઓઝ ઇન્સ્ટિટ્યૂટ ખાતે નિટમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી કાર્તિક સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે વાત કરતો હોયજે અંગે વિદ્યાર્થીનીના પિતા જગદીશ રાછડને જાણ થતાં તેઓએ વિદ્યાર્થીને તેની દીકરી સાથે વાત નહી કરવા સમજાવવા માટે શૈક્ષણિક સંકુલ ખાતે મિટિંગ હોલમાં બોલાવ્યો હતો.

જ્યાં મિટિંગ દરમિયાન સંચાલક સહિતનાની હાજરીમાં જગદીશ રાછડએ અચાનક ઉશ્કેરાઈ જઈ વિદ્યાર્થી કાર્તિક પર છરી વડે હુમલો કરતા દેકારો મચી ગયો હતો. બનાવના પગલે સંસ્થાના અન્ય લોકો આવી જતા હુમલો કરનાર જગદીશ રાછડને બહાર લઇ ગયા હતાઅને ઈજાગ્રસ્ત વિદ્યાર્થી કાર્તિકને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતોજ્યાં વિદ્યાર્થીની સ્થિતિ ગંભીર હોવાથી તેનેICUમાં રાખવામાં આવ્યો હતો.

તો બીજી તરફઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાને જાણ થતાં તેઓ પરિવારજનો સાથે હોસ્પિટલ દોડી આવ્યા હતા. ત્યારબાદ ઘટના અંગે વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી વિદ્યાર્થી કાર્તિક પર હુમલો કરનાર જગદીશ રાછડને ઝડપી પાડ્યો હતો.

Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.