ભાવનગર: CR પાટીલ અને જીતુ વાઘાણીને ભગવાન સદબુદ્ધિ આપે એ માટે કોંગ્રેસ દ્વારા કરાયું હનુમાન ચાલીસાનું પઠન

ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કરેલા નિવેદન બાબતે ભગવાન તેઓને સદબુદ્ધિ આપે એ હેતુથી અનોખુ વિરોધ પ્રદર્શન યોજાયું હતું

New Update
ભાવનગર: CR પાટીલ અને જીતુ વાઘાણીને ભગવાન સદબુદ્ધિ આપે એ માટે કોંગ્રેસ દ્વારા કરાયું હનુમાન ચાલીસાનું પઠન

ભાવનગર શહેર કૉંગ્રેસના આગેવાનો દ્વારા આજરોજ હનુમાન ચાલીસા પઠનનો કાર્યક્રમ યોજાયો હતો. ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કરેલા નિવેદન બાબતે ભગવાન તેઓને સદબુદ્ધિ આપે એ હેતુથી અનોખુ વિરોધ પ્રદર્શન યોજાયું હતું

પોરબંદર ખાતે કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભગવાન શ્રી કૃષ્ણ અને બહેન સુભદ્રાને પતિ પત્ની તરીકે વર્ણવતું વક્તવ્ય આપ્યું હતું તેમજ શિક્ષણમંત્રી જીતુવાઘાણી દ્વારા શિક્ષણ મુદ્દે જે લોકોને રાજ્યમાં શિક્ષણ ન ફાવતું હોય તે બીજા રાજ્યમાં જ્યાં અનુકૂળ લાગે ત્યાં અભ્યાસ માટે જતા રહે તેવા કરેલા નિવેદન મામલે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા શહેરના નિલમબાગ સર્કલ ખાતે હનુમાન ચાલીસાના પાઠ કરી ભગવાન તેમને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.જ્યારે ગુજરાતનું આ પ્રકારે અપમાન કરનાર નેતાના પોસ્ટરમાં તેમના નાક કાપવામાં આવ્યા હતા. કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

Read the Next Article

દેવભૂમિ દ્વારકા : થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ જગત મંદિરે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા...

દેવભૂમિ દ્વારકાના દ્વારકા જગત મંદિર ખાતે થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

New Update
  • થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ દેવભૂમિ દ્વારકાના મહેમાન બન્યા

  • હિન્દુ સંસ્કૃતિને નજીકથી જાણવાના ઉદ્દેશ્ય સાથે ભારત આવ્યા

  • બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિ જગત મંદિરે પધાર્યા

  • ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો

  • બન્ને પક્ષોના ધાર્મિક વારસાને સમજવાની અનેરી તક મળી

દેવભૂમિ દ્વારકાના દ્વારકા જગત મંદિર ખાતે થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ હિન્દુ સંસ્કૃતિને નજીકથી જાણવાના ઉદ્દેશ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમની આ યાત્રા બન્ને ધર્મો વચ્ચેના ગાઢ સંબંધો અને પરસ્પર સમજણને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. થાઈલેન્ડના ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ સૌપ્રથમ દ્વારક જગત મંદિરમાં બિરાજમાન ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ દ્રશ્ય તેમની હિન્દુ સંસ્કૃતિ પ્રત્યેની આસ્થા અને આદરભાવને ઉજાગર કરે છે. ત્યારબાદ, તેમણે શારદાપીઠના બ્રહ્મચારીઓ અને સ્થાનિક ગુગળી બ્રાહ્મણો સાથે ધર્મ, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક મૂલ્યો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. આ ચર્ચાઓ દરમિયાન તેમણે બૌદ્ધ પરંપરાઓ અને દર્શનશાસ્ત્ર વિશે પણ માહિતી આપી હતી. જેનાથી બન્ને પક્ષોને એકબીજાના ધાર્મિક વારસાને સમજવાની અનેરી તક મળી હતી.

Latest Stories