ભાવનગર: તળાજા પંથકમાં પવનચક્કી કંપની વિરુદ્ધ ખેડૂતો દ્વારા ગૃહમંત્રી સુધી કરવામાં આવી રજુઆત,જુઓ શું છે કારણ

બોરડા નજીક પવનચક્કી કંપનીઓ દ્વારા ખેડુતોની પરવાનગી વગર પવનચક્કીઓ નાખવામાં આવી ર્હઈ હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

New Update
ભાવનગર: તળાજા પંથકમાં પવનચક્કી કંપની વિરુદ્ધ ખેડૂતો દ્વારા ગૃહમંત્રી સુધી કરવામાં આવી રજુઆત,જુઓ શું છે કારણ

ભાવનગર જિલ્લાના બોરડા નજીક પવનચક્કી કંપનીઓ દ્વારા ખેડુતોની પરવાનગી વગર પવનચક્કીઓ નાખવામાં આવી ર્હઈ હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

ભાવનગર જિલ્લાના તરેડી ગામના ભરતસિંહ વાળાએ સામાજિક કાર્યકર અને જિલ્લા ખેડૂત આગેવાન હોવાથી કલેક્ટર અને ડીએસપીને આવેદનપત્ર પાઠવીને માંગ કરી હતી કે પવનચક્કી કંપની દ્વારા માથાભારે માણસોને રાખીને ખેડૂતોની મંજૂરી વગર તેમના ખેતરમાં પવનચક્કી ઉભી કરવામાં આવી રહી છે. જ્યારે સોમનાથ નેશનલ હાઈવે ઉપર બોરડા નજીક માલ સામાન સાથેના વાહનો હાઇવે ઉપર ખડકી દેવામાં આવ્યા છે. આથી ગંભીર અકસ્માત થવાની શક્યતાઓ છે. બંને સમસ્યાનો સાત દિવસમાં નિકાલ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાય છે .