ભાવનગર: અનેક તાલુકાઓમાં લિમ્પિ વાયરસનું સંક્રમણ વધ્યું, 100 પશુઓ લીંપિ વાયરસનો શિકાર બન્યા, 3ના મોત

અનેક તાલુકા મથકો પર લિમ્પિ વાયરસનું સંક્રમણ જોવા મળી રહ્યું છે.જેનાથી માલધારીઓના ગાય અને ભેંસ જેવા દુધાળા પશુઓ સંક્રમનનો ભોગ બની રહ્યા છે.

New Update
ભાવનગર: અનેક તાલુકાઓમાં લિમ્પિ વાયરસનું સંક્રમણ વધ્યું, 100 પશુઓ લીંપિ વાયરસનો શિકાર બન્યા, 3ના મોત

ભાવનગર જિલ્લાના અનેક તાલુકા મથકો પર લિમ્પિ વાયરસનું સંક્રમણ જોવા મળી રહ્યું છે.જેનાથી માલધારીઓના ગાય અને ભેંસ જેવા દુધાળા પશુઓ સંક્રમનનો ભોગ બની રહ્યા છે. જેમાં ગારીયાધાર તાલુકામા 100 જેટલા પશુઓ લીંપિ વાયરસનો શિકાર બન્યા છે, તો 3 પશુઓના લિમ્પિના કારણે મોત પણ નિપજ્યા છે.જ્યારે તંત્ર દ્વારા હાલ અન્ય પશુઓને રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

ભાવનગર જિલ્લામાં ગારિયાધાર સહિત અન્ય તાલુકાઓમાં લિમ્પિ વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે.જેને લઈ આ વિસ્તારના પશુપાલકોમાં ચિંતા ફેલાય છે.ની અત્યાર સુધીમાં 96 કેસ ધ્યાન ઉપર આવ્યા છે , તો એક ગાયનું મોત પણ નિપજ્યું છે . માણસમાં કોરોનાની માફક પશુઓમાં લિમ્પિ વાયરસનું સંક્રમણ થયુ છે , ભાવનગર જિલ્લા પંચાયતના પશુ પાલન વિભાગની દોડધામ વધી ગઈ છે . જેમાં અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રના અન્ય નગરોમાં જોવા મળતો આ રોગ હવે ભાવનગર જિલ્લામાં પણ જોવા મળી રહ્યો છે . હાલમાં ગારિયાધાર તાલુકાના મોટી વાવડી ગામે 100 પશુઓ સંક્રમિત થયા છે, તો ત્રણ પશુઓના મોત નિપજ્યાનું પણ બહાર આવ્યું છે.તંત્ર દ્વારા હાલમાં રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ સંક્રમણ વધતા પશુપાલકોમાં ચિંતાની લાગણી વધી છે .

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.