ભાવનગર: તંત્રનું મેગા ડિમોલીશન યથાવત,મોટાપ્રમાણમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સતત ડિમોલિશન સ્વચ્છતા અને રખડતા ઢોરને લઈને કવાયત હાથ ધરવામાં આવી છે..

New Update
ભાવનગર: તંત્રનું મેગા ડિમોલીશન યથાવત,મોટાપ્રમાણમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

26 જાન્યુઆરીની રજા બાદ ભાવનગર મનપા કમિશનરના જે.સી.બી ફરીથી નવાપરા અને પતિકા આશ્રમ વિસ્તારમાં ફર્યા હતા અને મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સતત ડિમોલિશન સ્વચ્છતા અને રખડતા ઢોરને લઈને કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે છ દિવસથી ભાવનગરના વિવિધ વિસ્તારોમાં મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવી રહ્યા છે..

Advertisment

ત્યારે 26 જાન્યુઆરીની એક દિવસની રજા બાદ આજે વહેલી સવારથી જ ભાવનગરના નવાપરા વિસ્તાર તેમજ શાકમાર્કેટ વિસ્તારમાં મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ભાવનગર મનપા કમિશ્નરે જણાવ્યું હતું કે શહેરમાં રાહદારીઓ અને ટ્રાફિક ને અડચણ ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવશે ભાવનગરમાં એક તરફ ડીમોલિશન થઈ રહ્યું છે અને રાહદારીઓને ચાલવા માટેના રસ્તાઓ ખુલ્લા કરવામાં આવે છે પરંતુ દબાણો હટતા વાહન ચાલકો પોતાના વાહનો પાર્કિંગ કરીને ફરીથી રસ્તાઓ રાહદારીઓ માટે બંધ કરી રહ્યા છે ત્યારે કમિશનર આગામી સમયમાં ટ્રાફિક પોલીસને આ વાહનો ટોઇનગ કરવા પણ સુચન કરશે

Advertisment
Read the Next Article

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ રૂ.1.84 કરોડના ખર્ચે જાળી લગાવવામાં આવશે, રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી

ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે..

New Update
  • ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ

  • બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની ઉઠી માંગ

  • રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ લગાવાશે જાળી

  • રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી

  • ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે

Advertisment
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે ભરૂચના સામાજીક કાર્યકરોએ બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માંગ કરી હતી.
આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર બ્રિજની બંને તરફ રૂપિયા 1.84 કરોડના ખર્ચે જાળી લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
Advertisment
નર્મદા મૈયા બ્રિજના રીવર પોર્શનમાં પ્રોવાઈડીંગ એન્ડ ફીક્સીંગ  વાયરમેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રિલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત રૂ.1.84 કરોડના ખર્ચથી સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર ૧.૪૬૨ કીમી  બ્રિજની બંને તરફ લાંબી સેફ્ટી ગ્રિલ બનાવવામાં આવશે..
Advertisment