ભાવનગર: મહાનગરપાલિકાની રિબેટ યોજનાનો પૂરેપૂરો લાભ ના મળતા અનેક સવાલો ઊભા થયા

ભાવનગર મહાનગરપાલિકાની રિબેટ યોજનાનો ટેક્સ ભરવા છતાં પણ પૂરેપૂરો લાભ ના મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

New Update
ભાવનગર: મહાનગરપાલિકાની રિબેટ યોજનાનો પૂરેપૂરો લાભ ના મળતા અનેક સવાલો ઊભા થયા

ભાવનગર મહાનગરપાલિકાની રિબેટ યોજનાનો ટેક્સ ભરવા છતાં પણ પૂરેપૂરો લાભ ના મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ભાવનગર મહાનગરપાલિકાની નાણાકીય વર્ષ 2023-24 ની રિબેટ યોજના શરૂ થઈ ગઈ છે ત્યારે મોટાભાગના કરદાતા રિબેટ યોજનાનો લાભ લઇ રહ્યા છે, ત્યારે ભાવનગરના વડવા વિસ્તારમાં રહેતા બાબુભાઈ ગોરખિયા ઘરવેરો ભરવા આવ્યા હતા ત્યારે તેઓએ જણાવ્યુ હતું કે ઘરવેરો અમે ભરીયે છીએ પરંતુ જે યોગ્ય સુવિધા મળવી જોઈએ તે મહાનગરપાલિકા દ્વારા મળતી નથી. આ વર્ષે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજમાં 200 રૂપિયાનો ટેક્ષવધારો જિકવામાં આવ્યો છે, પરંતુ ડ્રેનેજના પ્રશ્નો વડવા વિસ્તારમાં ઘણા સમયથી છે તેનો કોઈ યોગ્ય નિકાલ આવતો નથી અનેક ફરિયાદો કરવા છતાં માત્ર ડ્રેનેજ સફાઈ કોન્ટ્રાક્ટર કર્મચારી માત્ર સળિયા મારીને સાફ કરીને જતા રહે છે જે બીજે દિવસે ફરી એજ પ્રશ્ન ઉદભવે છે, ત્યારે ટેક્ષ ભરવા છતાં પણ કોઈ યોગ્ય સુવિધા મળતી નથી.

ત્યારે ભાવનગરના સ્ટેન્ડિંગકમિટી ચેરમેન ધીરુભાઈ ધામેલીયા એ જણાવ્યું હતું કે ભાવનગર મહાનગરપાલિકાની રિબેટ યોજના એપ્રિલ અને મે મહિનામાં ચાલતી હોય છે જેનો લાભ ભાવનગરના કરદાતા ખૂબ જ લઈ રહ્યા હોય છે ભાવનગરની જનતાના ભરેલા ટેક્ની સુવિધા પૂરેપૂરી જનતાને મળે તે માટે શાસક પક્ષની ટીમ દ્વારા પૂરેપૂરી સંતોષકારક કામગીરી કરવામાં આવશે અને ભાવનગરની જનતાને સુખાકારી અને વિકાસના કામો સતત ચાલતા રહે તેમજ ભાવનગરના કરદાતાને રિબેટ યોજનાનો લાભ લેવા માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને વિનંતી કરી હતી.

Read the Next Article

ભરૂચ : વાલિયાના ડેહલી ગામે 20 હજાર વૃક્ષોના વાવેતર થકી માતૃવનનું નિર્માણ, વનમંત્રી મુકેશ પટેલ રહ્યા ઉપસ્થિત

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેહલી ગામ ખાતે "એક પેડ માં કે નામ 2.0" અભિયાન અંતર્ગત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં મિયાવાંકી પદ્ધતિથી વૃક્ષારોપણનો કાર્યક્રમ સંપન્ન થયો હતો.

New Update

વાલિયા તાલુકાના ડેહલી ગામ ખાતે કરાયું આયોજન

"એક પેડ માં કે નામ 2.0" અભિયાન અંતર્ગત કાર્યક્રમ

વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષપદે કાર્યક્રમ

વિશાળ જગ્યામાં મિયાવાંકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરાયું

મોટી સંખ્યામાં મહાનુભાવો-વૃક્ષપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાનાવાલિયા તાલુકાના ડેહલી ગામ ખાતે "એક પેડ માં કે નામ 2.0" અભિયાન અંતર્ગતરાજ્યનાવનઅનેપર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાંમિયાવાંકી પદ્ધતિથી વૃક્ષારોપણનો કાર્યક્રમ સંપન્ન થયો હતો.

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેહલી ગામ ખાતે "એક પેડ માં કે નામ 2.0" અભિયાન અંતર્ગત રાજયકક્ષાવનપર્યાવરણ અને કલાયમેન્ટ ચેન્જજળ સંપતી અને પાણી પુરવઠાગુજરાત રાજય વિભાગના મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષપદે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક વનીકરણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિશાળ જગ્યામાં મિયાવાંકી પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ અભિયાનને વધુ વ્યાપક અને સફળ બનાવવા માટે ઉપસ્થિત તમામ વૃક્ષપ્રેમીઓએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કર્યું હતું. 2 હેક્ટર જમીનમાં 20 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરી માતૃવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આવનારી પેઢી માટે વૃક્ષોની મહત્વતા અંગે માર્ગદર્શન આપતા વનમંત્રીએ જણાવ્યું હતું કે,  ભરૂચ જિલ્લામાં ડેહલી ગામથી એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. માતા સાથોનો આપણો સંબંધ સૌથી વિશેષ અને અમૂલ્ય હોય છે. દુનિયાનો કોઈપણ વ્યક્તિ માનું ઋણ ચૂકવી શકતો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાનું ઋણ ચૂકવવા ભારતની જનતાને આહવાન કર્યુ હતું.PM મોદીએ આપેલા આહ્વાનને કેન્દ્રમાં લઈને દરેક નાગરિકે પોતાની માતાના નામે એક વૃક્ષ વાવીને પર્યાવરણ હિતેષી અભિગમને જનઆંદોલન બનાવી સફળ બનાવવા માટે સહભાગી બન્યા હતા. ગતવર્ષ "એક પેડ માં કે નામ" અભિયાન અંર્તગત ગુજરાતમાં 17 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર થયું હતું. જેમાં ગત વર્ષે ભરૂચ જિલ્લાએ સર્વાધિક 48 લાખ છોડનું વાવેતર કરી રેકોર્ડબ્રેક કામગીરી કરી હતી. આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષરથને લીલી ઝંડી આપી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને હરિયાળું બનાવવા માટે સર્વને વૃક્ષારોપણ કરવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે ભરૂચ જીલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાઝઘડીયાના ધારાસભ્ય રિતેશ વસાવાભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીજિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાસમાજીક વનીકરણ વર્તુળ ભરૂચ વિભાગના વન સંરક્ષક આનંદ કુમારવન વર્તુળ સુરત વિભાગના વન સંરક્ષક પુનિત નૈચ્યર, SRPF-CRPF કેમ્પના જવાનો, NCC કેડેડપોલીસ જવાનોસખી મંડળો સહિત માતાબહેનોશાળાના વિદ્યાર્થીઓવનકર્મીઓ તેમજ મોટી સંખ્યામાં વૃક્ષપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories