Connect Gujarat
ગુજરાત

ભાવનગર: PM નરેન્દ્ર મોદીના કાર્યક્રમની તડામાર તૈયારી, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી તૈયારીઓનું કર્યું નિરિક્ષણ

આગામી તા.૨૯ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર ખાતે કરોડો રૂ.ના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત માટે આવી રહ્યા છે

X

આગામી તા.૨૯ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર ખાતે કરોડો રૂ.ના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત માટે આવી રહ્યા છે ત્યારે કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થા બાબતે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ નિરિક્ષણ કર્યું હતું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૫૦૦૦ કરોડ રૂ.થી વધુના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત માટે આગામી તા. ૨૯ ના રોજ ભાવનગર આવી રહ્યા છે ત્યારે તેમના આગમન પૂર્વે સુરક્ષા અંગેની કામગીરીનું ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ નિરીક્ષણ કર્યું હતું. હર્ષ સંઘવી કલેકટર-આઈજી-એસપી સહિતના અધિકારીઓ સાથે રોડ-શોના માર્ગ પર નિરીક્ષણ માટે પહોચ્યા હતા જ્યાં તેમની સાથે મંત્રી જીતુ વાઘાણી અને સાંસદ ભારતીબેન શિયાળ પણ જોડાયા હતા. મહિલા કોલેજ-ઘોઘા સર્કલ-રૂપાણી સર્કલ સહિતના માર્ગ પર નિરીક્ષણ કર્યું હતું અને પ્રજા વધુમાં વધુ તેમાં જોડાય શકે અને કોઈ અવરોધ ન થાય તે બાબતે કામગીરી કરવા સુચન કર્યું હતું. ત્યારબાદ તેઓ સભા સ્થળ પર પહોચ્યા હતા.આ બા સભા સ્થળનું પણ નિરીક્ષણ કર્યું હતું

Next Story