/connect-gujarat/media/post_banners/c1bbc39ee1c5a641eabfb50d577bbbddfbf3382c8ef55becf9c01b9c80bf0d3f.jpg)
ભાવનગરના પાલીતાણામાં નિકળનારી ભગવાન શ્રીકૃષ્ણની 25મી શોભાયાત્રાના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે
ભાવનગરના પાલીતાણામાં જન્માષ્ટમીને લઈને છેલ્લા 25 વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગોકુળ આઠમના દિવસે ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવે છે.આજે આ શોભાયાત્રા ગુજરાતમાં હાલ એક મોટું સ્થાન પ્રાપ્ત કરી ચૂકી છે ત્યારે આ શોભાયાત્રાને લઈને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર અને ભાવનગર જિલ્લા સહિતના લોકો મોટી સંખ્યામાં શોભાયાત્રા નિહાળવા માટે પાલીતાણા ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.દર વર્ષની માફક આ વર્ષે પણ શ્રી કૃષ્ણ ભગવાનનું કટ આઉટ ખુલ્લું મુકાતા પાલીતાણા વાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનની નીકળનારી 25 મી શોભાયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે