Connect Gujarat
ગુજરાત

ભાવનગર : તલવાર-ધારિયાથી હુમલો કરાતા યુવાનનું મોત, ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઇનકાર..!

ભાવનગર શહેરમાં કોળી સમાજના યુવાન પર અજાણ્યા ઇસમોએ તલવાર અને ધારિયા વડે હુમલો કરતાં યુવાનનું ટૂંકી સારવાર બાદ મોત નીપજયું હતું.

X

ભાવનગર શહેરમાં કોળી સમાજના યુવાન પર અજાણ્યા ઇસમોએ તલવાર અને ધારિયા વડે હુમલો કરતાં યુવાનનું ટૂંકી સારવાર બાદ મોત નીપજયું હતું. તો બીજી તરફ, ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતકના પરિજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

ભાવનગર શહેરની શહેર ફરતી સડક પર નીતિન ખસિયા નામના યુવાન પર અજાણ્યા ઇસમો દ્વારા તલવાર અને ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે યુવાનનું ટૂંકી સારવાર બાદ મોત નીપજયું હતું. સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર, અગાઉની જૂની અદાવતે આ યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેનું મોત નિપજતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આયોજનબદ્ધ યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો મૃતકના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો, ત્યારે હાલ તો પોલીસ દ્વારા 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ આ હત્યા પાછળ 2 નહીં પણ અન્ય પણ લોકોની પણ સંડોવણી હોવાનો મૃતકના પરિજનોએ દાવો કર્યો હતો. તો બીજી તરફ, ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતકના પરિવારજનોએ મૃતદેહ નહીં સ્વીકારવાનો નિર્ણય લીધો હતો.

Next Story