ભાવનગર:પાલીતાણા વિદ્યાલયમાં બન્યો દુષ્કર્મનો બનાવ,પોલીસે તપાસ શરૂ કરી

જિલ્લાની પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે આવેલી નામાંકિત લોક વિદ્યાલયમાં સગીરા સાથે રેપના બનાવનો મામલો સામે આવ્યો છે.

New Update
ભાવનગર:પાલીતાણા વિદ્યાલયમાં બન્યો દુષ્કર્મનો બનાવ,પોલીસે તપાસ શરૂ કરી

ભાવનગર જિલ્લાની પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે આવેલી નામાંકિત લોક વિદ્યાલયમાં સગીરા સાથે રેપના બનાવનો મામલો સામે આવ્યો છે. પંદર વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ થયાનુ સામે આવતા પાલીતાણા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.પાલીતાણાના વાળુંકડની લોક વિદ્યાલયમાં રેપની ઘટના સામે આવી છે.બનાવને લઈને પોલીસ દ્વારા તપાસ કરવા આવતા.

સંસ્થાના ગૃહપતિનું નામ ખુલ્યું હતું.પોલીસ દ્વારા વીનું મિસ્ત્રી નામના શખ્સની ધડપકડ કરી લેવામાં આવી હતી.વીનું મિસ્ત્રીના રિમાન્ડમાં સંસ્થાનું સંચાલન કરતા નરાધમ ગ્રુહપતિ રાઘવ ધામેલીયાનું નામ ખુલવા પામ્યું હતું.પોલીસે આ બાબતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.