ભાવનગર : જર્જરિત ઋષભદેવ ફ્લેટનો મુખ્ય દાદર થયો ધરાશાયી, 15થી વધુ સ્થાનિકોનું રેસક્યું કરાયું...

ઘણા સમયથી જર્જરિત બને ઋષભદેવ બિલ્ડીંગનું રિપેરિંગ કામ ચાલતું હતું. આ દરમ્યાન ઋષભદેવ ફ્લેટનો મુખ્ય દાદર અચાનક ધરાશાયી થઈ તૂટી પડતાં સ્થાનિકોના જીવ પડિકે બંધાયા હતા.

New Update

ગીતા ચોક વિસ્તારમાં આવેલ ઋષભદેવ ફ્લેટની ઘટના

Advertisment W3.CSS

જર્જરિત એપાર્ટમેન્ટનો દાદર અચાનક ધરાશાયી થઈ પડ્યો

બનાવના પગલે પાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડ્યા

ફ્લેટમાં 15થી વધુ સ્થાનિકોનું ફાયર ફાઇટરોએ કર્યું રેસક્યું

કોઈ જાનહાનિ નહીં સર્જાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

ભાવનગર શહેરના ગીતા ચોક વિસ્તારમાં આવેલ ઋષભદેવ ફ્લેટમાં દાદર ધરાશાયી થતાં પાલિકાના ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે દોડી આવી સ્થાનિકોનું રેસક્યું કર્યું હતું. મળતી માહિતી અનુસારભાવનગર શહેરના ગીતા ચોક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જર્જરિત બને ઋષભદેવ બિલ્ડીંગનું રિપેરિંગ કામ ચાલતું હતું. આ દરમ્યાન ઋષભદેવ ફ્લેટનો મુખ્ય દાદર અચાનક ધરાશાયી થઈ તૂટી પડતાં સ્થાનિકોના જીવ પડિકે બંધાયા હતા.

બનાવના પગલે આસપાસના લોકોએ દોડી આવી મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો બીજી તરફપૂર્વ ડેપ્યુટી મેયર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોચ્યા હતા.

આ તરફફ્લેટના બીજા માળનો દાદર ધરાશાયી થતા ઉપરના મળે 15થી વધુ લોકો ફસાયા હતાત્યારે પાલિકાના ફાયર ફાઇટરોએ ભારે જહેમત સાથે મહિલાઓ અને બાળકો સહિત તમામ લોકોને રેસક્યું કરી સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં સર્જાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

 

Read the Next Article

ભરૂચ: વાલિયા તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, વૃક્ષારોપાણ-ખાસ ગ્રામસભાનું આયોજન

ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
aa

ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment W3.CSS
આજે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ વાલિયા તાલુકાના પુસ્તકાલય ખાતે તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ,મામલતદાર શ્રદ્ધાબેન નાઈક,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,પૂર્વ પ્રમુખ સેવંતુ વસાવા,વાલિયા ગામના સરપંચ સોમીબેન વસાવા,ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલ,પૂર્વ સરપંચ મહેશ વસાવા,વન વિભાગના અધિકારી સહિત આમંત્રિતોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જે બાદ વાલિયા ગ્રામ પંચાયત ખાતે ખાસ ગ્રામસભા મળી હતી.
તો વાલિયા તાલુકાના ચમારીયા ગામ ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વિશ્વ પર્યાવરણ વૃક્ષારોપણનો કાર્યક્રમ બાદ ખાસ ગ્રામ સભા મળી હતી.જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને પ્લાસ્ટિક મુક્તિ અંગે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.સાથે સરકાર દ્વારા પ્લાસ્ટિકના ઉત્પાદનને પ્રોત્સાહ આપવામાં આવે છે અને બીજી તરફ પ્લાસ્ટિક મુક્તિ અંગે પૂર્વ પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયતના સભ્ય રાજુભાઈ વસાવાએ સવાલો ઉઠાવ્યા હતાં