ભાવનગર : RTOમાં ટુ-વ્હીલર લાઇસન્સની પ્રક્રિયા સંપૂર્ણ બંધ હાલતમાં, અનેક અરજદારો પરેશાન..!

ભાવનગર RTO કચેરીમાં છેલ્લા 5 દિવસથી ટુ-વ્હીલર માટેના લાઇસન્સની પ્રક્રિયા સંપૂર્ણ બંધ હાલતમાં છે.

New Update
ભાવનગર : RTOમાં ટુ-વ્હીલર લાઇસન્સની પ્રક્રિયા સંપૂર્ણ બંધ હાલતમાં, અનેક અરજદારો પરેશાન..!

ભાવનગર RTO કચેરીમાં છેલ્લા 5 દિવસથી ટુ-વ્હીલર માટેના લાઇસન્સની પ્રક્રિયા સંપૂર્ણ બંધ હાલતમાં છે. જેને પગલે લાઇસન્સ કઢાવનાર અરજદારોને ધર્મના ધક્કા થઈ રહ્યા છે. જોકે RTO વિભાગ કહે છે કે, SMS મારફત અરજદારોને જાણ કરવામાં આવી રહી છે.

ભાવનગર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં છેલ્લા 5 દિવસથી સર્વરમાં આવેલી એરરના પગલે લાઇસન્સની પ્રક્રિયા સંપૂર્ણ બંધ હાલતમાં છે. આઠડો પાર કરીને ટુ-વ્હીલરનું લાઇસન્સ કઢાવતા અરજદારોને ધર્મના ધક્કા થઈ રહ્યા છે. અરજદારોને પગલે RTO અધિકારીએ જણાવ્યું હતું કે, રોજના 80થી 100 જેટલી એપોઇન્ટમેન્ટ આવતી હોય છે. પરંતુ એરરના પગલે કામગીરી બંધ છે, જેથી અમે SMS મારફત અરજદારોને જાણ કરવામાં આવી રહી છે. જોકે, આજે શુક્રવારે છેલ્લો દિવસ છે. એટલે કે, આવતીકાલથી સર્વર શરૂ થઈ શકે છે, અને ટુ-વ્હીલર લાઇસન્સની પ્રક્રિયાનો પ્રારંભ પણ થવાની વાત હાલ અધિકારીએ કરી છે.

Read the Next Article

ભરૂચ: હાંસોટથી કંટીયાળજાળને જોડતા માર્ગ પર વનખાડીનું પાણી ફરી વળ્યું, વાહનવ્યવહાર બંધ

ભરૂચના હાંસોટ પંથકમાં ખાબકેલ 4 ઇંચ જેટલા વરસાદના પગલે હાંસોટથી કંટીયાળજાળને જોડતા મુખ્યમાર્ગ પર દંત્રાઇ ગામ નજીક વનખાડીનું પાણી માર્ગ પર ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો

New Update
  • ભરૂચના હાંસોટમાં અનરાધાર વરસાદ

  • 4 ઇંચ વરસાદ ખાબક્યો

  • કંટીયાળજાળને જોડતો માર્ગ બંધ થયો

  • વનખાડીના પાણી ફરી વળ્યા

  • પુલની કામગીરીના પગલે ડાયવર્ઝન બનાવાયું હતું

ભરૂચના હાંસોટ પંથકમાં ખાબકેલ 4 ઇંચ જેટલા વરસાદના પગલે હાંસોટથી કંટીયાળજાળને જોડતા મુખ્યમાર્ગ પર દંત્રાઇ ગામ નજીક વનખાડીનું પાણી માર્ગ પર ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો

ભરૂચના હાંસોટમાં ખાબકેલ અનરાધાર વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હાંસોટથી કંટિયાજાળને જોડતા મુખ્ય માર્ગ પર દંતરાઈ ગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન પરથી પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે. હાંસોટ પંથકમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ત્યારે દંતરાય ગામ નજીક ચાલી રહેલ ખાડીપુલની કામગીરીના પગલે બાજુ પર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જેના પરથી વન ખાડીનું પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે.

માર્ગ બંધ થતાં આસપાસના ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી મંગળવાર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે લોકોને સતર્ક રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.