ભાવનગર: મહાનગર પાલિકા દ્વારા 144 મકાન માલિકોને તાત્કાલિક મકાન ખાલી કરવાની નોટિસ આપતા ખળભળાટ

New Update
ભાવનગર: મહાનગર પાલિકા દ્વારા 144 મકાન માલિકોને તાત્કાલિક મકાન ખાલી કરવાની નોટિસ આપતા ખળભળાટ

ભાવનગર શહેરના ઘોઘારોડ શિવાજીસર્કલ વિસ્તરમાં મહાનગર પાલિકાના ચાલીસ કરોડની કિંમતના પ્લોટમાં વસાહત કરતા 144 મકાન ધારકોને તાત્કાલિક મકાન ખાલી કરવાના આદેશ આપવામાં આવતા ચકચાર કાંચિ જવા પામી છે

ભાવનગર મહાનગરપાલિકા ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં 140 મકાનની મહાનગરપાલિકાના પ્લોટમાં બાંધકામ હોવાને લઈને ગત તારીખ 23 ના રોજ મહાનગરપાલિકાના નિયમો અનુસાર તાત્કાલિક કબજો ખાલી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી ત્યારે સ્થાનિક લોકો અને અધિકારીઓ વચ્ચે પણ ઘર્ષણ થયું હતું જે બાબતે સ્થાનિકોની સાથે રાજકીય અને સામાજિક કાર્યકર્તાનું એક ડેલીગેશન કમિશનરને મળવા પહોંચ્યું હતું અને આ જગ્યા ખાલી કરાવવા માટે જે સૂચન આપ્યું છે તેમાં સમય અને યોગ્ય વળતર આપવાની રજૂઆત કરી હતી

Read the Next Article

ભરૂચ : આમોદમાં નેશનલ હાઇવે 64 ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન,વરસાદી પાણીની જમાવટથી ખાબોચિયા છલકાયા

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે

New Update

આમોદમાં ખખડધજ હાઇવેથી લોકો પરેશાન

વરસાદના કારણે હાઇવે પર ખાડાનું સામ્રાજ્ય

હાઇવે પર ખાડામાં પાણી ભરાતા ખાબોચિયા છલકાય

સગર્ભા મહિલાને પ્રસૂતિમાં પણ પડી મુશ્કેલી

સમારકામ માટે વાહન ચાલકોમાં ઉઠી માંગ

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે. સર્જાયેલ પરિસ્થિતિને કારણે રાહદારીઓહાઇવેને અડીને આવેલા રહેણાંક વિસ્તારો અને દુકાનદારો સહિત લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ભરૂચ જિલ્લાના આમોદ નેશનલ હાઇવે 64 વરસાદમાં અત્યંત બિસ્માર બની ગયો છે.જેના કારણે આમોદ નગરની ગર્ભવતી મહિલાની તબિયત લથડતા અને અસહ્ય પેટમાં દુખાવો ઉપડતા પરિવારજનો દ્વારા આમોદથી જંબુસર હોસ્પિટલ લઈ જવા માટે વાહન લઈને  નીકળ્યા હતા,પરંતુ ખખડધજ અને મસમોટા ખાડાઓ અને ટ્રાફિકને લઈ હોસ્પિટલની સારવાર મળતા પહેલા જ હાઇવે પર જ ખાડાઓના સામ્રાજ્યને લઈને અસહ્ય પીડાઓ સાથે ડીલેવરી થઈ ગઈ હતી. પરિવારના મોભીએ હાઇવે વહીવટી તંત્રની સામે રોષ વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત વાહનચાલકો પણ ખરાબ રસ્તા મુદ્દે રોષ વ્યક્ત કરી રહ્યા છે.મોસમના પહેલા વરસાદમાં જ હાઇવે ગાયબ થઈ ગયો છે.અને મસમોટા કમરતોડ ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થતા કોન્ટ્રાક્ટર અને તંત્રની ગંભીર બેદરકારીની અને ભ્રષ્ટાચારની પોલની ચાડી ખાતા દ્રશ્યોનું નિર્માણ થવા પામ્યું છે. વહેલી તકે ભ્રષ્ટાચાર મુક્ત હાઇવેનું પેચિંગવર્ક કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે.

Latest Stories