ભાવનગર: મહાનગર પાલિકા દ્વારા 144 મકાન માલિકોને તાત્કાલિક મકાન ખાલી કરવાની નોટિસ આપતા ખળભળાટ
BY Connect Gujarat Desk30 May 2023 10:30 AM GMT
X
Connect Gujarat Desk30 May 2023 10:30 AM GMT
ભાવનગર શહેરના ઘોઘારોડ શિવાજીસર્કલ વિસ્તરમાં મહાનગર પાલિકાના ચાલીસ કરોડની કિંમતના પ્લોટમાં વસાહત કરતા 144 મકાન ધારકોને તાત્કાલિક મકાન ખાલી કરવાના આદેશ આપવામાં આવતા ચકચાર કાંચિ જવા પામી છે
ભાવનગર મહાનગરપાલિકા ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં 140 મકાનની મહાનગરપાલિકાના પ્લોટમાં બાંધકામ હોવાને લઈને ગત તારીખ 23 ના રોજ મહાનગરપાલિકાના નિયમો અનુસાર તાત્કાલિક કબજો ખાલી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી ત્યારે સ્થાનિક લોકો અને અધિકારીઓ વચ્ચે પણ ઘર્ષણ થયું હતું જે બાબતે સ્થાનિકોની સાથે રાજકીય અને સામાજિક કાર્યકર્તાનું એક ડેલીગેશન કમિશનરને મળવા પહોંચ્યું હતું અને આ જગ્યા ખાલી કરાવવા માટે જે સૂચન આપ્યું છે તેમાં સમય અને યોગ્ય વળતર આપવાની રજૂઆત કરી હતી
Next Story