ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને લઈ મોટા સમાચાર, અમદાવાદમાં સૌથી વધુ 77

ભારત સરકારે જાહેરાત કરી હતી કે જે પાકિસ્તાની ભારતમાં છે તે 48 કલાકમાં ભારત દેશ છોડીને તેમના વતન જતા રહે ત્યારે ગુજરાત સરકારે પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી શરૂ કરી

author-image
By Connect Gujarat Desk
New Update
pakistani citizenz in india

જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં તેનો વિરોધ જોવા મળી રહ્યો છે,ત્યારે ભારત સરકારે જાહેરાત કરી હતી કે જે પાકિસ્તાની ભારતમાં છે તે 48 કલાકમાં ભારત દેશ છોડીને તેમના વતન જતા રહે ત્યારે ગુજરાત સરકારે પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે,કેન્દ્ર સરકારના પગલે રાજ્ય સરકાર એક્શનમાં છે જેમાં તમામ જિલ્લાઓમાં રાજ્ય સરકારે કલેકટર અને એસપીને સૂચના આપી છે,જેમાં જે હિંદુ શરણાર્થીઓ છે તેમની સામે કંઈ કાર્યવાહી નહી કરાય. રાજય સરકારે ગુજરાતના કલેકટર અને એસપીને આ અંગે સૂચના પણ આપી દીધી છે. 

Advertisment

ગુજરાતમાં લોન્ગ ટર્મ વિઝા પર 438 પાકિસ્તાની નાગરિકો છે,અમદાવાદમાં સૌથી વધુ 77 પાકિસ્તાની નાગરિકો,સુરતમાં 44 અને કચ્છમાં 50 પાકિસ્તાની નાગરિકો હોવાનું સામે આવ્યું છે, ગુજરાતમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેલા 7 નાગરિકો છે, સૌથી વધુ 5 પાકિસ્તાની નાગરિકો અમદાવાદમાં હોવાની વાત સામે આી છે, ભરુચ અને વડોદરામાં એક-એક પાકિસ્તાની નાગરિક છે તો તમામ પાકિસ્તાની નાગરિકોને હાંકી કાઢવા કવાયત તેજ કરવામાં આવી છે,ગૃહ વિભાગે તૈયાર કરી પાકિસ્તાની નાગરિકોની યાદી. 

ગાંધીનગર શહેરમાં કલોલ, માણસા, દહેગામમાં પાકિસ્તાનીઓ હોવાની વાત સામે આવી છે જેમાં અલગ-અલગ વિઝા પર પાકિસ્તાની આવ્યા હોવાની વિગતો મળી છે,તો ગૃહ મંત્રાલયના આદેશ બાદ પાકિસ્તાનીઓને તગેડી મૂકાશે અને નિયત સમયમાં રવાના કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે,ગૃહ વિભાગે તમામને ભારત છોડવાનો આપ્યો આદેશ,તો અટારી બોર્ડરથી તમામને તેમના દેશ પાકિસ્તાન મોકલવામાં આવશે તેવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે.

Advertisment
Latest Stories