ગાંધી ટોપી પર છેડાયો રાજકીય વિવાદ; ભાજપ – કોંગ્રેસ આવ્યા આમને સામને

ગાંધી ટોપી પર રાજકીય વિવાદ; ભાજપ કોંગ્રેસ આમને સામને, ગાંધીજી ક્યારેય ગાંધી ટોપી પહેરતા ન હતા: રત્નાકર પાંડે.

New Update
ગાંધી ટોપી પર છેડાયો રાજકીય વિવાદ; ભાજપ – કોંગ્રેસ આવ્યા આમને સામને

ગુજરાતમાં આજકાલ ટોપી પર રાજકીય વિવાદ ચાલી રહ્યો છે.. એક તરફ ભાજપના નેતાઓ કહે છે કે ગાંધીજી ક્યારેય ગાંધી ટોપી પહેરતા ન હતા.... ત્યારે કોંગ્રેસ પણ પ્રતિક્રિયા આપતા કહે છે કે ભાજપ પહેલા ઇતિહાસ વાંચે.

ગુજરાતમાં આ દિવસોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગાંધી ટોપીને લઈને રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પાંડેના ટ્વીટ બાદ આ મામલે રાજકીય વિવાદ શરૂ થયો હતો. રત્નાકર પાંડેએ ટ્વીટ કર્યું કે, કોંગ્રેસીઓએ બધી વાતોમાં ટોપી પહેરાવી છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પહેરવામાં આવતી સફેદ ટોપી જે ગાંધીજીએ ક્યારેય પહેરી ન હતી, જોકે ગુજરાત કે મહારાષ્ટ્ર સાથે ક્યારેય કોઈ સંબંધ નહોતો તેવા નેહરુજી હંમેશા આ ટોપી પહેરતા હતા, પરંતુ આ ટોપીને કહેવાય છે ગાંધી ટોપી.

ભાજપના નેતા રત્નાકર પાંડેના આ ટ્વિટ બાદ ગુજરાત કોંગ્રેસ પણ રોષે ભરાઈ છે અને આ મુદ્દે પ્રતિક્રિયાઑ આપી છે. ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ રત્નાકર પાંડેની ટ્વીટનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, તે ગુજરાતીઓનું અપમાન છે. તેમને માફી માંગવી જોઈએ..

અર્જુન મોઢવાડિયાના આ ટ્વીટ બાદ ભાજપના નેતા રત્નાકર પાંડેએ તેમનું ટ્વીટ ડિલીટ કરી દીધું. પરંતુ આ મુદ્દે રાજકારણ ગરમાયું અને ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ રત્નાકર પાંડેના સમર્થનમાં આવ્યા. રત્નાકર પાંડેને ટેકો આપતા નિતિન પટેલે કહ્યું હતું કે, "કોઈને ક્યારેય એવું ચિત્ર મળ્યું નથી કે જેમાં ગાંધીજીને 'ગાંધી ટોપી' પહેરેલા જોઈ શકાય. મેં પણ આવું ચિત્ર ક્યારેય જોયું નથી. આવી સ્થિતિમાં રત્નાકરે જે કહ્યું તે સાચું છે."

જોકે, ડેપ્યુટી સીએમ પટેલના નિવેદન બાદ અર્જુન મોઢવાડિયાએ ફરી એકવાર તેમના પર હુમલો કર્યો હતો. તેમણે નાયબ મુખ્યમંત્રીને ટ્વીટ કરીને ઇતિહાસ વાંચવાની સલાહ આપી હતી. મોઢવાડિયાએ લખ્યું, "થોડો ઇતિહાસ પણ વાંચો. તમારા પૂર્વજોના ફોટા પણ જુઓ, તેઓ ગાંધી ટોપી પણ પહેરતા હતા. ભારતની મુલાકાત દરમિયાન દેશની ગરીબી જોઈ. બાપુએ ધોતી સિવાય બીજું કંઈ ન પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તે ત્યાગ અને બલિદાનની વાત છે, તમને નહીં સમજાય."

Read the Next Article

“વિશ્વ રક્તદાન દિવસ”  : જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહા રક્તદાન શિબિર યોજાય...

જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું

New Update
  • આજે સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો દિવસ

  • જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ-રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટનું આયોજન

  • રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે મહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું

  • રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 100મી રક્તદાન શિબિર યોજાય

  • મોટી સંખ્યામાં ઉપસ્થિત રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું

ભરૂચમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

વિશ્વ રક્તદાન દિવસ દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છેત્યારે આજરોજ તા. 14મી જૂન એટલે કેવિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલ પરિસરમાં આવેલ રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કેરમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ યોજાયેલ 100મી રક્તદાન શિબિર હતી. આ રક્તદાન શિબિરના આયોજન દ્વારા સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાયો હતોઅને અનેક લોકોએ પણ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના મૃણાલ કાપડિયાસેક્રેટરી રશ્મિકાંત મેનગરરમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક રશ્મિકાંત કંસારા સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.