બોટાદ : સાળંગપુર હનુમાનજી મંદિરે રંગોત્સવ ઉજવાયો,મંદિર પટાંગણમાં 80 ફૂટ ઉંચેથી ભક્તો પર રંગોનો કરાયો બ્લાસ્ટ

સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ગુજરાતના સૌથી મોટો ધુળેટી પર્વ નિમિત્તે દિવ્ય રંગોત્સવ યોજાયો હતો.51 હજાર કિલો નેચરલ કલર અને 500 જેટલા

New Update

સાળંગપુર હનુમાનજી મંદિરે સૌથી મોટો રંગોત્સવ ઉજવાયો

દાદાને હોળી-ધૂળેટીના દિવસે વિશેષ શણગાર કરાયો

51 હજાર કિલો નેચરલ કલરનો રંગોત્સવમાં કરાયો ઉપયોગ

500 જેટલા સપ્તધનુષ્યના રંગની થીમ પર ઉત્સવની ઉજવણી

80 ફૂટ ઉંચેથી મંદિરના પટાંગણમાં ભક્તો ઉપર બ્લાસ્ટ કરાયા 

સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ગુજરાતના સૌથી મોટો ધુળેટી પર્વ નિમિત્તે દિવ્ય રંગોત્સવ યોજાયો હતો.51 હજાર કિલો નેચરલ કલર અને 500 જેટલા સપ્તધનુષ્યના રંગની થીમ ઉપર 70થી 80 ફુટ જેટલા ઉંચેથી મંદિરના પટાંગણમાં તમામ ભક્તો ઉપર બ્લાસ્ટ કરાયા હતા.જેમાં 50 નાસિક ઢોલના તાલે હજારો હરિભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને દાદાના રંગે રંગાયા હતા.

બોટાદ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે આજે ધુળેટીના પર્વ નિમિત્તે ભવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં દરેક તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે દાદાને હોળી-ધૂળેટીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારે મંગળા આરતી અને શણગાર આરતી બાદ શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામી સહિતના સંતોએ હનુમાનજી દાદાને અલગ અલગ કલરથી રંગવામાં આવ્યા હતા.ત્યાર બાદ રંગોત્સવનો પ્રારંભ કરાયો હતો.

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના પટાંગણમાં હજારો ભક્તો એકસાથે દાદાના રંગે રંગાયા હતા. અલગ અલગ પ્રકારના 51 હજાર કિલો ઓર્ગેનિક રંગોની સાથે હજારો ચોકલેટ પણ ભક્તો પર ઉડાવવામાં આવી હતી. મંદિર પરિસરમાં સપ્તધનુષ્યની થીમ ઉપર 70થી 80 ફૂટ ઊંચા કલરના 500 જેટલા બ્લાસ્ટ કરાયા હતા.10 હજાર કિલો કલરને એર પ્રેશર મશીનથી હવામાં ઉડાવાયો હતો.જ્યારે 50થી વધુ નાસિક ઢોલના તાલે ભક્તોએ ધૂમ મચાવી હતી.ભક્તો હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવીને હનુમાનજી દાદાના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ ઉજવાયો હતો. દાદાના સાનિધ્યમાં ધુળેટી પર્વની ઉજવણી કરવાનો લાભ મળતા હરિભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી માટે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકની દેખરેખ હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

 

Read the Next Article

ગુજરાતનાં આ શહેરોમાં મેઘરાજા મન મુકીને વરસ્યા,વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી

પવન સાથે વરસાદ તુટી પડતાં અસહ્ય ગરમીમાં રાહત મળી ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભા ગીરના નાની ધારી, લાસા, ધાવડીયા સહિત ગામોમાં ધોધમાર વરસ્યો

New Update
varsad News

ગુજરાતના અનેક શહેરોમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવતા વરસાદ શરૂ થયો હતો. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો. પવન સાથે વરસાદ તુટી પડતાં અસહ્ય ગરમીમાં રાહત મળી ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભા ગીરના નાની ધારી, લાસા, ધાવડીયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાઈક વરસાદ પડતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો.  

બીજી તરફ બોટાદના ગઢડા તાલુકાના ઢસાગામે શરૂ વરસાદ થયો હતો. સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઉનાળાની અસહ્ય ગરમી બાદ વરસાદ શરૂ થયો હતો. ઢસા, માલપરા, ઉમરડા, પાટના સહિતના ગામોમાં વરસાદ શરૂ હતો. રાજકોટ જિલ્લાના લોધિકા ખાતે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ હતો. વરસાદના કારણે ગામમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. વરસાદ વરસતા લોકોને અસહ્ય ગરમી માંથી રાહત મળી હતી.