/connect-gujarat/media/media_files/2025/02/14/8mckvuMhrcfIrryFTBEi.jpg)
ગુજરાતમાં આગામી 16 ફેબ્રુઆરીએ યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે. રાજકીય પક્ષો હવે જાહેરમાં પ્રચાર નહીં કરી શકે. વિગતો મુજબ હવે ઉમેદવારો ડોર ટૂ ડોર મતદાન માટે અપીલ કરી શકશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 16 ફેબ્રુઆરીએ 66 પાલિકા, ૩ તાલુકા પંચાયત અને એક મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. આ સાથે મતદાન પૂર્ણ થયા બાદ આગામી 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે.
રાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકાઓ, ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય/ મધ્યસત્ર તથા સ્વરાજ્યના એકમોની ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી માટે કુલ 7036 ઉમેદવારી પત્રો રજૂ થયેલ હતા તે પૈકી 1261 અમાન્ય તેમજ 5775 ઉમેદવારી પત્રો માન્ય રહેલ છે. 478 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચેલ છે. કુલ 213 બેઠકો બિનહરીફ થયેલ છે, તેમજ હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ 5084 ઉમેદવારો હરિફાઇમાં છે.