સોમનાથમાં પ્રારંભ કરાયેલ “રામનામ મંત્ર લેખન યજ્ઞ”માં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જોડાયા...

CM ભૂપેન્દ્ર પટેલ ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે પધારેલ હોય, ત્યારે તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા.

New Update
સોમનાથમાં પ્રારંભ કરાયેલ “રામનામ મંત્ર લેખન યજ્ઞ”માં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જોડાયા...

રાજ્યના મુખ્યમંત્રી ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે આવી પહોચ્યા હતા, જ્યાં શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી તેઓ સોમનાથ ટ્રસ્ટના શ્રીરામ મંદિર ખાતે સોમનાથથી અયોધ્યા રામનામ મંત્ર લેખન યજ્ઞમાં જોડાયા હતા.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે પધારેલ હોય, ત્યારે તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી જે.ડી.પરમાર અને સચિવ યોગેન્દ્ર દેસાઈ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી જળાભિશેક તેમજ સોમનાથ મહાદેવને મહાપૂજા માટે સમગ્રી અર્પણ કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી સોમનાથ ટ્રસ્ટના શ્રીરામ મંદિર ખાતે સોમનાથથી અયોધ્યા: રામનામ મંત્ર લેખન યજ્ઞમાં જોડાયા હતા. "સોમનાથથી અયોધ્યા: રામનામ મંત્ર લેખન યજ્ઞ"નો પ્રારંભ ગાંધીનગર રાજભવન ખાતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સૌપ્રથમ રામ નામ લખી કરવામાં આવ્યો હતો. સોમનાથ અને રામ મંદિર અદ્વિતીય સમાનતાઓ ધરાવે છે, વિસર્જન બાદ સર્જનની આ મહા ગાથા રાષ્ટ્રની એકતાને સુદ્રઢ કરવાનું કાર્ય કરશે. સોમનાથમાં લખાયેલ રામ નામ અયોધ્યા રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમયે સમર્પિત કરવામાં આવશે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્યમંત્રી મુળુ બેરા, સાંસદ રાજેશ ચુડાસમા, હાસ્ય કલાકાર માયાભાઈ આહીર સહિતના મહનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.