ગુજરાતના નાગરિકોને યાતાયાતની સુવિધામાં વધારો કરવા મુખ્યમંત્રીનો નિર્ણય, વધુ 151 એસ.ટી. બસનો ઉમેરો

ગુજરાત રાજ્યના નાગરિકો માટે યાતાયાતની સુવિધામાં વધારો કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે.

New Update
ગુજરાતના નાગરિકોને યાતાયાતની સુવિધામાં વધારો કરવા મુખ્યમંત્રીનો નિર્ણય, વધુ 151 એસ.ટી. બસનો ઉમેરો

ગુજરાત રાજ્યના નાગરિકો માટે યાતાયાતની સુવિધામાં વધારો કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં આગામી સમયમાં નવી 151 જેટલી એસ.ટી. બસ નિગમના તમામ જિલ્લાઓમાં ફાળવવામાં આવશે.

Advertisment

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નાગરિકોને યાતાયાતની સુવિધાઓમાં વધારો થાય તે માટે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં આગામી સમયમાં નવી 151 જેટલી એસ.ટી. બસનો ઉમેરો કરાશે. આ એસ.ટી. બસ નિગમના તમામ જિલ્લાઓમાં ફાળવવામાં આવશે. જોકે, આ 151 નવી સુપર એક્સપ્રેસ બસની વિશેષતાની વાત કરીએ તો, બસમાં આરામદાયક સુવિધા માટે હાઈબેક શીટ, VLT અને પેનીક બટન, રિવર્સ પાર્કિંગ સેન્સર, સિલિકોન બેઝ મેટિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

Advertisment
Read the Next Article

સુરત : મહાનગરપાલિકાને ગુજરાત રાજ્ય માનવાધિકાર આયોગનું સમન્સ, પુણામાં પ્રાથમિક સુવિધાના અભાવ અંગે થઈ હતી રજૂઆત

સુરત શહેરના પુણા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા વિકસાવવામાં મહાનગરપાલિકાના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી જેને લઈ પિટિશન દાખલ કરવામાં આવી હતી

New Update
  • SMCને માનવાધિકાર આયોગનું તેડું 

  • માનવાધિકાર આયોગે પાઠવ્યું છે સમન્સ

  • જાગૃત નાગરિકે કરી હતી પિટિશન દાખલ

  • પુણામાં પ્રાથમિક સુવિધાનો છે અભાવ

  • આયોગમાં કરવામાં આવી હતી રજૂઆત   

Advertisment

સુરત શહેરના પુણા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવ હોવાની અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી,જેને પગલે ગુજરાત રાજ્ય માનવાધિકાર આયોગ દ્વારા મહાનગરપાલિકાને સમન્સ પાઠવતા અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે.

સુરત શહેરના પુણા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા વિકસાવવામાં મહાનગરપાલિકાના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી,જેમાં સ્થાનિક જાગૃત નાગરિક કુલદીપ ગોહિલ દ્વારા 21 માર્ચના રોજ ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી.જે અંગે ગુજરાત રાજ્ય માનવાધિકાર આયોગ દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને સમન્સ પાઠવવામાં આવ્યું છે,અને 26 જૂનના રોજ બપોરના 1 કલાકે આયોગની કોર્ટ સમક્ષ હાજર થવા અંગે જણાવવામાં આવ્યું છે.માનવાધિકાર આયોગના સમન્સને પગલે મનપા અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે.  

જાગૃત નાગરિક કુલદીપ ગોહિલ દ્વારા કરવામાં આવેલી પિટિશનમાં મહાનગરપાલિકાના તંત્ર સામે આક્ષેપ કરવામાં આવ્યા છે કે વર્ષ 2006થી મનપામાં સામેલ પૂણામાં આટલા વર્ષો પછી પણ પ્રાથમિક સુવિધાનો અભાવ રહ્યો છે.આ વિસ્તારમાં શાંતિ કુંજશૌચાલય અને વાંચનાલય સહિતની સુવિધાનો અભાવ હોવાની રજૂઆત તેઓએ કરી હતી.આ ઉપરાંત

પુણાગામ ટીપી 20 પ્રિલીમ થઈ ગયા બાદ પણ પાર્કિંગની જગ્યા પર ખાણી પીણીની લારીઓપાનના ગલ્લાફૂડ પ્લાઝા મોડી રાત સુધી ચાલુ રહેતા હોવાની ફરિયાદ કરી હતી.

Advertisment
Latest Stories